Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 11
________________ ઉપોદઘાત (લેખક: પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય) मा कार्षीन् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते॥ અથ– કોઈપણ પ્રાણી પાપ ન કરે, કેઈપણ પ્રાણી દુઃખી ન થાઓ, પ્રાણી માત્ર મોક્ષને પામે, આ પ્રકારની મતિને શાસ્ત્રકારે મિત્રી ભાવના કહે છે. - આ જગતમાં ઈચ્છા કેને હોતી નથી ? સંસારી જીવ માત્રના હૃદયમાં કઈને કઈ પ્રકારની ઈચ્છા હોય જ છે. બધી ઈચ્છાઓને સમાવેશ માત્ર બે જ પ્રકારની ઈચ્છાઓમાં થાય છે. “મને પોતાને જરા જેટલું પણ દુઃખ ન આવે અને જગતમાં જેટલું સુખ છે, તે બધું મને જ મળે ” આ બે પ્રકારની ઈચ્છાઓ સંસારી જીવ માત્રના હદયમાં નિરંતર રહ્યા જ કરે છે. બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે પ્રકારની જ ઈચ્છાઓ રહેલી હોય છે. તે બંને જાતની ઈચ્છાઓ કદી પણ પૂર્ણ થતી નથી, એ વાત પણ સતત લક્ષમાં રાખવા જેવી છે. એ કારણે શાસ્ત્રકારોને એ સિદ્ધાંત નક્કી કરે પડે છે કે ઈચ્છા એ જ દુઃખ છે, અને ઈચ્છાને–અભાવ એ જ સુખ છે ! આહારની અગ્ય ઈચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપ ધર્મ ઉપદેશ્ય છે, અર્થ અને કામની અગ્ય ઈચ્છાઓમાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે દાન અને શીલ ધર્મ ઉપદેશ્યો છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 138