________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
કુળમાં જન્મેલીને આવું કરવું અયોગ્ય છે. મૃગાવતીએ ઠપકો સહન કરી પગમાં પડી ઘણા વિનયથી ખમાવીને ક્ષમા માગી કે આ મારો એક અપરાધ ક્ષમા કરો. હવે ફરીથી આવું નહિ કરૂં. આવા શુદ્ધ ભાવથી વિચારણા કરતા તેને કેવલ જ્ઞાન થયું ! ચંદનબાળા (ક્રોધાવેશમાં) તેજ સમયે સંથારો કરી સુઈગયા રાત અંધારી હતી અને તેથી અંધારામાં સાપ આવ્યો સાપથી પીડા ન થાય તે માટે મૃગાવતીએ ચંદનબાળાનો હાથ ઊંચો કર્યો. ચંદનબાળા જાગી અને પૂછ્યું કે આ શું ? તેણે કહ્યું, સાપ આવ્યો છે.' ચંદનબાળાએ પૂછ્યું, 'તું કેમ જાણે ? 'કંઈક આત્મિક જ્ઞાન થયું ?' હા 'પાછું જાય તેવું કે' ? મૃગાવતીએ કહ્યું, 'ન જાય તેવું, કેવળજ્ઞાન થયું છે તેથી ચંદનબાળાએ (ક્રોધ કરવા બદલ) માફી માગી. આમાં લૌકિક અને લોકોત્તર બન્ને દૃષ્ટાંત આવી ગયાં. આ પ્રમાણે આચાર્યે જરૂર પડતાં શિષ્યને ઠપકો આપીને પણ સુધારવો.) આમાં દૃષ્ટાંત નિર્દેશતા પૂર્વની માફક યોજવી (એટલે થોડામાં બતાવી દેવું તે દેશ) એ પ્રમાણે ચરણકરણાનુયોગને આશ્રયીને ઉપાલંભદ્વાર કહ્યું, હવે દ્રવ્યાનુયોગને આશ્રયી કહે છે.
જેમ નાસ્તિકવાદી ચાર્વાક જીવ નથી એમ માને છે આ તેમનું કુજ્ઞાન (ખોટુંજ્ઞાન) છે, કે જીવની સત્તાનો તેઓ અસ્વીકાર કરે છે. તેથી તેને કહેવું, 'કે આત્માનો અભાવ માનવામાં આત્માનો ધર્મ જે જ્ઞાન છે તેનો પણ અભાવ થશે અને જો નાસ્તિક એમ કહે કે એ તો પંચભૂતનો ધર્મ છે તો કહેવું કે ધર્મની સાથે પંચભૂતનું જડપણું હોવું જોઈએ તેથી ભૂતજડ અને ધર્મ ચેતન એ અયોગ્ય છે. કદાચ એમ કહે કે પંચભૂત એકઠાં થઈને જ્ઞાન ધર્મ થાય તો કહેવું કે દરેક જુદામાં નથી તો ભેગાં થયે પણ નજ થાય. આમ કહી તેમનું ખંડન કરવું. એનેજ આશ્રયી ટેકો આપવા કહે છે ૫ ૭૬ n
अत्थित्ति जा वियक्का अहवा नत्थित्ति जं कुविन्नाणं । अच्चंताभावे पोग्गलस्स एवं चिअ न जुत्तं ॥७७॥
ટીકાનો અર્થ- જીવ છે ? એવો વિતર્ક અથવા નથી એવી લોકોત્તર વાત ઉડાવનારૂં કુવિજ્ઞાન જો આત્માનો સર્વથી અભાવ હોય તો અચેતન ભૂતરૂપ પુદ્દગલનું જીવપણું યુક્ત ન થાય. ખરેખર આ અન્યાય યુક્ત છે એની ભાવના પૂર્વની માફક જાણવી (નાસ્તિકને કહેવું કે જીવ નથી એ તર્ક કરનાર આત્માનું જ્ઞાન છે અને તે જડવસ્તુમાં હોય નહિ માટે પાંચે ભૂતથી જુદો જીવ માન્યા વિના છુટકો નથી ) આમાં ઉદાહરણ દેશપણું એ છે કે ટુંકાણમાં નાસ્તિકને આશ્રયી પરલોક વિગેરે ઉડાવનારાને જીવ સિદ્ધ કરી આપવો. એટલે તેનું ખંડન થવાથી બીજા ભવ્ય જીવો ધર્મ કરતાં ન અટકે. હવે બાકીનાં બે દ્વાર કહે છે. ૭૭
पुच्छाएकोणिओ खलु, निस्सावयणंमि गोयमस्सामी । नाहियवाई पुच्छे जीवत्थित्तं अणिच्छंत्तं ७८ ટીકાનો અર્થ – ! – પૃચ્છા તે સવાલ પૂછવો તેમાં શ્રેણિક રાજાનો પુત્ર કોણિક તેનું દૃષ્ટાંત છે જેમકે તેણે ભગવાનને પૂછ્યું 'ચક્રવર્તી રાજા સંસાર સુખ છોડ્યા વિના મોત આવ્યે મરીને ક્યાં જાય ? ભગવાને કહ્યું, 'સાતમી ના૨કીમાં ફરી તેણે કહ્યું, 'હું ક્યાં જઈશ ! ઉત્તર-છઠ્ઠીમાં. પાછું પૂછ્યું સાતમી માં કેમ નિહ ? ભગવાને જવાબ આપ્યો, 'ત્યાં તો ચક્રવર્તીજ જાય ! પ્રશ્ન−'હું ચક્રવર્તી નથી ?' મારે પણ ચોરાશી લાખ હાથી છે' ઉત્તર–'તારી પાસે ચૌદ રત્ન અને નવ ભંડાર નથી.તેથી તેણે મોટો ચક્રવર્તી બનવા બનાવટી રત્ન વિગેરે બનાવી તમિસ્રા નામની ગુફા આગળ આવ્યો, ત્યાં કિરિમાલક નામના દેવતાએ કહ્યું, 'ચક્રવર્તી બાર થઈ ગયા. તું ચક્રવર્તી નથી' દેવે અટકાવ્યો તો પણ તેણે ન માન્યું. તેથી તેને દેવે મારી નાખ્યો. પંચત્વ પામીને તે છઠ્ઠી નારકીમાં ગયો. આ લૌકિક વાત છે. લૌકોત્તરબાબતોમાં મુદ્દાના રહસ્યો અને કારણ વિદ્વાન આચાર્યને પૂછવાં તથા જે શક્ય હોય તે આદરવું અને અશક્યને છોડવું. કહ્યું છે કે
પૂછો અને પૂછાવો ! જેઓ પંડિત સાધુ હોય અને ચારિત્ર પાળતા હોય તેમને નમ્ર બની પૂછ્યા વિના ન રહો; કારણકે જ્ઞાન છે તે પારકાને આશ્રયી ને છે. આમાં ઉદાહરણ દેશના તે થોડામાં પૂછી તેણે સમાપ્ત કરેલ
૫૬