________________
સાતમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
ભણતાં તેની આમંત્રણી વિગેરે ભાષાના રૂપ પણે હોવાથી તેજ છે. પણ અવિધ, મન:પર્યાય અને કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાનમાં જે ઉપયોગ રાખતો બોલે તે અસત્યામૃષા જાણવી. આમંત્રણી ભાષા વિગેરે માફક તેવા અધ્યવસાયમાં તેની પ્રવૃત્તિ છે. આ પ્રમાણે શ્રુત ભાવ ભાષા કહી. પૂર્વે કહ્યું હતું કે હવે ચારિત્રને વિષે કહીશ. તે ચારિત્ર સંબંધી ભાવ ભાષાને કહે છે. II૨૮૧માં
पढमबिइआ चरितं भासा दो चेव होंति नायव्वा । सचरित्तस्स उ भासा सच्चा मोसा उ इअरस्स ॥ २८२ ॥
પહેલી અને બીજી તે સત્યા અને મૃષા ભાષામાં ચારિત્ર વિષયમાં બે જ ભાષાઓ જાણવી. તેનું સ્વરૂપ કહે છે. ચારિત્ર પરીણામ વાળાને તેની વૃદ્ધિના નિબંધન રૂપ જે ભાષા તે દ્રવ્ય સંબંધી અને બીજા ભાવમાં હોય તો પણ તે સત્ય ભાષા છે. કારણ કે સંત પુરુષોનું હિત કરે તે સત્ય ભાષા જાણવી. અને મૃષા તે ચારિત્ર રહિત સંસારી જીવની તેની વૃદ્ધિના નિબંધનના કારણ રૂપ ભાષા જાણવી. (જેનાથી જીવોનું હિત થાય તે સત્યા, અને જેનાથી જીવોનું અહિત થાય તે અસત્યા ભાષા જાણવી) આ પ્રમાણે વાક્યના એક જ અર્થવાળી ભાષાનું વર્ણન કર્યું. હવે શુદ્ધિનું સ્વરૂપ બતાવે છે. ૨૮૨
णामंठवणासुद्धी दव्वसुद्धी अ भावसुद्धी अ । एएसिं पत्तेअं परूवणा होइ कायव्या ॥ २८३ ॥
નામ સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારની શુદ્ધિ છે તે દરેકની પ્રરૂપણા કરવી જોઈએ, નામ સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને દ્રવ્ય શુદ્ધિ કહે છે. II૨૮૩
तिविहा उ दव्वसुद्धी तद्दव्वादेसओ पहाणे अ । तद्दव्वगमाएसो अणण्णमीसा हवइ सुद्धी ॥२८४ ॥
દ્રવ્ય શુદ્ધિ ત્રણ પ્રકારની છે, તેજ દ્રવ્યથી એટલે તદ્રવ્ય શુદ્ધિ તથા આદેશથી એટલે આદેશ દ્રવ્ય શુદ્ધિ તથા પ્રાધાન્યથી તે પ્રાધાન્ય દ્રવ્ય શુદ્ધિ છે, તેમાં પ્રથમનું વર્ણન કરે છે; જે દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે જોડાયા વિના શુદ્ધ થાય તે, દૂધ, દહિ છે, તે તદ્રવ્ય શુદ્ધિ જાણવી, અને આદેશમાં મિશ્ર થાય છે તે અન્ય અથવા અન્ય નહિ, તે સંબંધી છે. તેથી કહ્યું છે કે આદેશથી દ્રવ્ય શુદ્ધિ બે પ્રકારની છે અન્ય પણ અથવા અન્યપણા વિના જેમ કે અન્યપણામાં શુદ્ધ કપડાં પહેરેલો દેવદત્ત છે, અને અનન્ય (એકજ) પણામાં શુદ્ધ દાંત વાળો છે. (ચોક્ખાં કપડાં અને દેવદત્ત એ બે જુદાં છે, અને શુદ્ધ દાંત અને દેવદત્ત એ બંને જુદાં નથી) હવે પ્રાધાન્ય દ્રવ્ય શુદ્ધિ કહે છે. II૨૮૪
वण्णरसगंधफासे समणुण्णा सा पहाणओ सुद्धि । तत्थ उ सुक्किल महुरा उ संमया चेव उक्कोसा ॥ २८५ ॥
વર્ણ, રસ, ગંધ અને સ્પર્શમાં જે સામાન્ય પણે સુંદરતા છે તે મનોજ્ઞતા જાણવી, અથવા મનોજ્ઞતા એટલે પોતાના અભિપ્રાયને અનુકૂળ હોય તે પ્રધાન પણે શુદ્ધિ જાણવી, તેમાં આ પ્રમાણે ચિંતા (વિચાર)ના સંબંધમાં ધોળો રંગ અને મધુર રસ છે. એટલે ધોળો રંગ અને મધુર રસ ગમે છે, તથા ‘તુ’ શબ્દથી સુરભિ ગંધ અને મૃદુ (કોમળ) સ્પર્શ ગમે છે, એમ જાણવું, અને અભિપ્રાય પણ પ્રાયે મનોજ્ઞ છે, એટલે આ પ્રમાણે લોકમાં ઘણે ભાગે આ પ્રવૃત્તિ છે કે સફેદ રંગ, મધુર રસ અને સુગંધિ અને કોમળ સ્પર્શ એ સૌને ગમે છે. ઉત્કૃષ્ટ અને કમનીય એ રંગ વિગેરે ઘણે ભાગે વહાલા છે એમ સૂચવે છે. ‘ચ’ શબ્દનો છુપો ઉપન્યાસ છે (તે આગળ કહેશે.) દ્રવ્ય શુદ્ધિ કહી, હવે ભાવ શુદ્ધિ કહે છે. I૨૮૫
एमेव भावसुद्धी तब्भावाएसओ पहाणे अ । तब्भावगमाएसो अणण्णमीसा हवइ सुद्धी ॥२८६॥
દ્રવ્ય શુદ્ધિ માફક ભાવ શુદ્ધિ ત્રણ પ્રકારની છે તે જ ભાવમાં તે તદ્ભાવ શુદ્ધિ છે, અને આદેશ ભાવ શુદ્ધિ અને પ્રધાન ભાવ શુદ્ધિ પણ છે. તદ્ભાવ શુદ્ધિમાં બીજી જગ્યાએ ધ્યાન છોડીને તેજ ભાવમાં ધ્યાન આપવું તે. તદ્ભાવ શુદ્ધિ. અને ભાવ બીજા પદાર્થ વિના એકલો શુદ્ધ થાય છે, તે છે. જેમકે ભૂખ્યાને અન્નનો અભિલાષ થાય, ત્યારે તેમાં તેનું ચિત્ત લાગે, તે જ્યારે અન્ન ખાઈ છોડે ત્યારે તેની ભાવ શુદ્ધિ થાય, તેજ પ્રમાણે આદેશમાં
૪૩