________________
श्री दर्शवैकालिकसूत्र भाषांतर - भाग ३
પ્રથમ ચૂલિકા
પુત્ત-વા પરિળિો, મોહલતાનમંતમો । વોસો બહા નાનો, સ ના રિત—ર્ફ ॥॥
વિષય સુખના માટે સાધુપણું છોડીને સ્ત્રી પરણતાં સ્ત્રી અને પુત્ર વિગેરે ઊપર મોહ વધતાં ધર્મ ક્રિયા ગૃહસ્થની પણ ભૂલી જતાં હાય પીટ (હાડમારી)માં જ દિવસો ગુજારતાં કાદવમાં ખૂંચેલા વનના હાથીની માફક પસ્તાય છે, કે આહા હા! મેં આ કેવું મૂર્ખાઈનું કૃત્ય આદર્યું કે જેથી મારી આવી દુર્દશા થઈ છે. II૮।।
अज्जयाहं गणी होतो, भावियप्पा बहुस्सुओ । जइ हं रमतो परियाए, सामणे जिणदेसिए ॥९॥
કોઈ બુદ્ધિમાન સાધુ દીક્ષા મૂક્યા પછી આ પ્રમાણે પશ્ચાત્તાપ કરે છે કે જો હું આજ સુધી સાધુપણામાં ભાવ રાખીને રહ્યો હોત તો આચાર્ય પણ થયો હોત! અને આત્માની ભાવના ભાવવા વડે બહુશ્રુત બન્યો હોત! એટલે આલોક પરલોકનું હિત કરનાર જે જૈન સિદ્ધાંત છે, તે ભણ્યો હોત! પણ ભગવાનના વચનમાં રમણતા ન કરી. સાધુપણું ન પાળ્યું તેથી આવી અધમ દશાને હું પામ્યો છું. (મૂળ શ્લોકમાં પર્યાય શબ્દ છતાં શ્રામણ્ય શબ્દ લેવાનું કારણ એ છે કે પર્યાય ઘણા અર્થમાં વપરાય છે. માટે શ્રામણ્ય લીધો છે. તથા જિનર્દેશિત શબ્દ મૂકવાનું કારણ એ છે કે બૌદ્ધના પણ સાધુ પોતાના સાધુપણાને શ્રામણ્ય કહે છે, તેથી તેને જુદું પાડવા માટે લીધેલ છે.)le.
देवलोगसमाणो उ परियाओ महेसिणं । रयाणं अरयाणं च महानरयसालि (रि) सो ॥ १० ॥
પડવાની ઇચ્છાવાળાને ફરીથી ગુરુ બોધ આપે છે. જેઓ એ ચારિત્ર છોડ્યું તેઓ પાછળથી કેવી રીતે પસ્તાય છે તે સાંભળો. સારા સાધુઓનો દીક્ષા પર્યાય દેવલોક સમાન છે. કારણ કે દેવલોકમાં નાટક વિગેરે જોવામાં લીન થઈને નિશ્ચિત પણે બેઠા છે તેમ સાધુઓ સ્થિર મનથી પોતાના ભણવા ગણવામાં અને કહેલી વિધિએ પડિલેહણ (વસ્ત્ર વિગેરે જોવાં)માં એક ધ્યાનવાળા છે. વળી આવી રીતે બરોબર જીવની રક્ષા કરવાથી તેઓને નિર્ભયપણું હોવાથી દેવલોક સમાન આદરવા યોગ્ય ચારિત્ર પર્યાય છે, પણ એવા રક્ત ન હોય તેમને સાધુપણાના વર્તનમાં અરમણતા થવાથી તથા ગાયન વિગેરેના વિષયમાં આસક્ત થવાથી ભગવાનના સાધુ વેષને વિડંબણા કરવાવાળા ક્ષુદ્ર જીવોને આ સાધુપણું પાળવું, તે રૌરવ નરક સમાન, મનના અતિશય દુઃખથી ભયકારી લાગે છે, (વળી સાધુપણું સારૂં પાળે તો અહીં દેવલોક સમાન બહુમાન થાય, અને પછી પણ દેવલોક મળે, પણ ચારિત્રમાં લીનતા ન રાખે તો સાધુપણામાં જીવતાં નરક સમાન દુઃખ અને ચારિત્ર ભાંગવાથી પાછળથી મહા નરકમાં જાય છે. ૧૦||
अमरोवमं जाणिय सोक्खमुत्तमं रयाण परियाए तहाऽरयाणं । निरओवमं जाणिय दुक्खमुत्तमं रमेज्ज तम्हा परियाए पंडिए ॥ ११ ॥
સાધુપણું મૂકી દેનારને ગુરુ સમજાવે છે કે પૂર્વે કહ્યા મુજબ દેવતા પ્રમાણે સાધુનું પ્રશમ (ક્રોધનો અભાવ) વિગેરે ઉત્તર ગુણોનું સુખ ચારિત્ર પર્યાયમાં રક્ત અને પડિલેહણ વિગેરે ક્રિયામાં યત્ન કરનારને સુખરૂપ છે અને ચારિત્રમાં અરતિ કરનારને નરક તુલ્ય છે. તેથી આલોક પરલોકના ઘણાં સુખ દુઃખ વિચારીને પંડિત પુરુષે નિરંતર ચારિત્ર પર્યાયમાં રમણતા કરવી. ||૧૧||
धम्माओ भट्ठ सिरिओ ववेयं, जन्नग्गि विज्झायमिवऽप्पतेयं । हीलति णं दुव्विहियं कुसीला, दादुद्धियं घोरविसं व नागं ॥ १२ ॥
ચારિત્ર પર્યાય મૂકનારને આલોકના દોષો બતાવે છે. સાધુ ધર્મથી ભ્રષ્ટ થનારને તપરૂપ લક્ષ્મી નાશ થતાં તેનું મુખ જેમ યજ્ઞની સમાપ્તિનો અગ્નિ બુઝાતાં તેજ વિનાનો દેખાય છે, અને ખાલી રાખ રહે છે તેમ આ સાધુપણું છોડી દેનારનું (મુખ) ઝાંખુ થાય છે, લોકો તેની હીલના કરે છે કે તું ઉત્તમ પગથીયે ચઢેલો પાછો પડ્યો છે, વળી ઝેરી સાપની
૧૦૦