________________
'श्री दशबैकालिकसूत्र भाषांतर - भाग ३
परिशिष्ट -४
આપણી પાસે દરરોજ યાચકોને સંપૂર્ણ ભોજન દાન કરવાની શક્તિ નથી તો પણ મારે કેટલાક યાચકોને (સાધુઓને) ભિક્ષા આપવી જોઈએ. આપ્યા વગર આ ભવમાં કે પરભવમાં સ્વર્ગ વગેરેમાં સુખાદિ ભોગવી શકતા નથી. તેથી આપ્યા પછી જ ભોગવવું જોઈએ. દાતાને પુણ્ય કર્યા વગર સ્વર્ગ ગમન વગેરે પ્રાપ્ત થતા નથી. કરેલ પુણ્ય જ ફલદાન કરવા સમર્થ હોય છે, માટે પુણ્ય ઉપાર્જન બુદ્ધિથી ગૃહસ્થ જ્યારે દરરોજ જેટલા પ્રમાણમાં ભોજન રાંધે તેટલા પ્રમાણમાં જ ભોજન રાંધતી વખતે (સાધુ) ભિક્ષુક કે ગૃહસ્થ કોઈપણ આવશે, તો તેને ભિક્ષા દાન માટે આટલું અને પોતાના માટે આટલું-એવા વિભાગ વગર વધારે પૌઆ વગેરે રાંધે ત્યારે ઓઘ ઔદેશિક થાય છે. (૨) વિભાગીદેશિક – તે ત્રણ પ્રકારે છે, ૧. ઉદિષ્ટ, ૨. કૃત, ૩. કર્મ. ૧. જે અશનાદિક પોતાના માટે જ રાંધ્યું હોય, તેમાંથી (સાધુઓને)ભિક્ષાચરોના દાન માટે જુદુ રાખે, તે ઉદિષ્ટ. ૨. જે વધેલા ભાતશાલિ વગેરેનો ભિક્ષા દાન માટે જ કરંબા વગેરે રૂપે કરે, તે કૃત. ૩. વિવાહ વગેરે પ્રસંગે વધેલા લાડવા વગેરેના ભૂકાને (સાધુઓને) ભિક્ષાચરોને આપવા માટે ગોળ વગેરેના પાક દ્વારા ફરી લાડવા વગેરે રૂપે કરે, તે કર્મ કહેવાય. આ ત્રણેના ફરી ચાર ચાર ભેદ છે.
ઉદેશ, સમુદેશ, આદેશ, સમાદેશ. (૧) તેમાં જે ઉદિષ્ટ, કૃત કે કર્મ વિભાગીદેશિક ઉદેશ ત્યારે કહેવાય કે જ્યારે આ પ્રમાણે સંકલ્પ કરે કે કોઈપણ (સાધુઓ) ભિક્ષાચરો, પાખંડીઓ કે ગૃહસ્થો આવશે તો તે બધાને મારે આપવું ત્યારે ઉદેશ કહેવાય. (૨) જ્યારે પાખંડીઓને આપવું આવો નિશ્ચય કરે – તો તે સમુદેશ કહેવાય. (૩) જ્યારે શ્રમણો એટલે બૌદ્ધ શાક્ય વગેરેને આપીશ – એવું વિચારે ત્યારે આદેશ કહેવાય. (૪) નિગ્રંથ જૈન સાધુને જ આપીશ એવું વિચારે – તે સમાદેશ કહેવાય છે.
આ વાત નવી નથી પણ ઋષિમુનિઓની છે. પિડનિર્યુક્તિમાં કહ્યું છે કે, જે કોઈપણ આવે તેને આપવું, તે ઉદેશ, પાખંડીઓ માટે કરે, તે સમુદેશ, શ્રમણોને માટે કરે, તે આદેશ અને નિગ્રંથો માટે કરે, તે સમાદેશ થાય
- ' આ પ્રમાણે વિભાગીદેશિકનાં બાર પ્રકાર થયા. પ્રશ્ન : આધાકર્મ અને કર્મ-દેશિકમાં પરસ્પર શું તફાવત છે? ઉત્તર : જે આધાકર્મ છે, તે પહેલેથી જ સાધુ માટે જ બનાવ્યું હોય છે અને કર્મ ઔદેશિક પહેલા તો પોતાના માટે રાંધ્યું હોય, પણ પછી ઘણા પાકના સંસ્કાર કરવાપૂર્વક બનાવે, તે કર્મ દેશિક છે. ૩. પૂતિ કર્મઃ ઉદ્ગમ વગેરે દોષો રહિત પવિત્ર એવા ભોજન વગેરેને અવિશુદ્ધ કોટીવાળા ભોજનના અવયવ સાથે મેળવી અપવિત્ર કરવું. પવિત્ર ભોજનને જે અશુદ્ધ ભોજન દ્વારા કર્મ કરવું તે પૂતિકર્મ. તેના યોગથી ભોજન વગેરે પણ પૂતિકર્મ કહેવાય.
આનો ભાવાર્થ આ રીતે છે. જેમ સુગંધી મનોહર વગેરે ગણોથી વિશિષ્ટ શાલિ વગેરેના ભોજનને સડેલા, ગંધાતા, અપવિત્ર વગેરે દ્રવ્યના એક નાના અંશ દ્વારા પણ તે વિશિષ્ટ ભોજન અપવિત્ર થાય છે અને વિશિષ્ટ લોકોને ત્યાજ્ય થાય છે. તેવી રીતે નિરતિચાર ચારિત્રવાળા સાધુના નિરતિચાર ચારિત્રને સાતિચાર રૂપે અપવિત્ર કરવાના કારણે અવિશુદ્ધ કોટી દ્રવ્યના સંપર્ક માત્રથી સ્વરૂપથી શુદ્ધ આહાર પણ વાપરતાં ભાવપૂર્તિનું કારણ
થાય છે. આધાકર્મ વિગેરે અવયવના લેશમાત્રથી પણ ખરડાયેલ થાળી-ચમચો-વાટકી વિગેરે
૧૨૮