Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 323
________________ નવમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ શ્રુત સમાધિ નું વર્ણન चव्विा खलु सुयसमाही भवइ, तजहा-सुयं मे भविस्सइति अज्झाइयव्वं भवइ १, एगग्गचित्तो भविस्सामिति अज्झाइयव्वं भवइ २, अप्पाणं ठावइस्सामिति अज्झाइयव्वं भवइ ३, ठिओ परं ठावइस्सामिति अज्झाइयव्वं भवइ ४, चउत्थं पयं भवइ । આચારાંગ વિગેરે બાર અંગોના ૫રમાર્થનું તત્ત્વ જ્ઞાન મને મળશે, એવી બુદ્ધિથી ભણે પણ માન વિગેરે મેળવવા ન ભણે તથા ભણવામાં ખલેલ ન પડે, માટે એકાગ્રચિત્તે સ્થિરતા રાખીને ભણે આ આલંબન વડે ભણે તથા ધર્મ તત્ત્વ જાણીને આત્માને શુદ્ધ ધર્મમાં જોડીશ, આજ હેતુ ધ્યાનમાં રાખે તથા હું ભણીને ધર્મમાં સ્થિર રહીને શિષ્યોને પણ ધર્મમાં જોડીશ, આ હેતુએ સિદ્ધાંત ભણે. भवइ य एत्थ सिलोगो - नाणमेगग्गचित्तो य, ठिओ ठावयई परं । सुयाणि य अहिज्जित्ता, रओ सुयसमाहिए ॥३॥ એકાગ્ર ચિત્તે ભણીશ, ધર્મમાં સ્થિર રહીશ. અને બીજાને સ્થિર કરીશ. સૂત્રોને ભણીને શ્રુત સમાધિમાં રહીશ,૩॥ ચાર પ્રકારની તપ સમાધિનું વર્ણન चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा-नो इहलोगट्टयाए तवमहिद्वेज्जा १ नो परलोगट्टयाए तवमहिट्टेज्जा २, नो कित्ति-वण्ण-सद्द - सिलोगट्टयाए तवमहिद्वेज्जा ३, नन्नत्थ निज्जरट्टयाए तवमहिद्वेज्जा ४, चउत्यं पयं भवइ । આ લોકમાં લબ્ધિની ઇચ્છાથી અનશન વિગેરે તપ ધમ્મિલ કુમાર માફક નહિ કરૂં, તથા પરલોકના સુખ વાસ્તે બ્રહ્મદત્ત માફક તપ નહિ કરૂં, તથા જશકીર્તિના માટે તપ નહિ પરંતુ ફક્ત સકામ-નિર્જરા માટે તપ કરીશ, (સર્વ દિશામાં વ્યાપે તે કીર્તિ અને એક દિશામાં વ્યાપે તે વર્ણ, અને અર્ધ દિશામાં વ્યાપે તે શબ્દ, અને તેજ સ્થાનમાં વ્યાપે તે શ્લાઘા, આમ મૂળ સૂત્રમાં ચાર શબ્દો છે, તેના જુદા અર્થ જાણવા, તેના માટે તપશ્ચર્યા ન કરે.) भवइ य एत्थ सिलोगो - विविहगुणतवोरए य निच्चं भवइ निरासए निज्जरट्ठिए । तवसा धुणइ पुराणपावगं, जुत्तो सया तवसमाहिए ॥४॥ નિરંતર ગુણોનો અર્થી તપશ્ચર્યામાં રક્ત રહે તથા કોઈ જાતના આ લોક પરલોકની સંસારી આશા ન રાખે, પણ સકામ નિર્જરાનો ભાવ રાખે, અને નિર્મળ તપશ્ચર્યાથી સમાધિમાં રહી પૂર્વના અશુભ કર્મોને છેદી નાખે, અને નવાં ન બાંધે.||૪|| ચાર પ્રકાર ની આચાર સમાધિ उव्विहा खलु आयारसमाही भवइ, तं जहा नो इहलोगट्टयाए आयारमहिद्वेज्जा १, नो परलोगट्टयाए आयारमहिद्वेज्जा २, नो कित्ति-वण्ण- सद्द-सिलोगट्टयाए आयरमहिट्टेज्जा ३, नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिद्वेज्जा ४ चउत्थं पयं भवइ । આ લોકના અર્થે જ આચાર ન પાળે, તેમ પરલોક માટે પણ ન પાળે, તેમ કીર્તિ વિગેરે મેળવવા પણ ન પાળે, કિંતુ જિનેશ્વરે કહેલા સર્વથા ત્યાગ રૂપ પાંચ આચાર પાળે અને મૂળ ગુણ આરાધે, भवइ अ एत्थ सिलोगो - जिणवयणरए अतितिणे, पडिपुण्णाययमाययट्ठिए । आयारसमाहिसंवुडे, भवइ अ दंते भावसंधए ॥५॥ ૮૩

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402