________________
"શ્રી ટ્રસ્થાનિસૂત્ર મgi૨ - ભાગ
પાંચમું અધ્યયન
ભાવૈષણા બે પ્રકારની છે, (૧) પ્રશસ્ત (૨) અપ્રશસ્ત જાણવી, તેજ કહે છે કે જ્ઞાન વિગેરે ભણવું તે પ્રશસ્ત છે, અને ક્રોધ વિગેરે કરવા તે અપ્રશસ્ત છે, ર૩૮ll
भावस्सुवगारिता, एत्यं दव्वेसणाइ अहिगारो । तीइ पुण अत्यजुत्ती, वत्तव्वा पिंडनिज्जुत्ती ॥२३९॥
હવે ચાલુ યોજનાને કહે છે, જ્ઞાન વિગેરેને ઉપકાર કરનાર દ્રવ્યેષણા હોવાથી એના વડે જ અહીં અધિકાર છે. તેની અર્થ-યુક્તિ, ત્યજવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય એમ બે પ્રકારે અર્થની યોજના કરવી. તે પિંડ નિયુક્તિ છે. (આ પિંડ નિયુક્તિનો અધિકાર અને બીજી જગ્યાએ તે નામનો જુદો ગ્રંથ બનાવ્યો છે. ત્યાંથી જાણવું. [“પિંડ નિયુક્તિ” એ નામનો ગ્રંથ દેવચંદ લાલભાઈ તરફથી છપાયો છે.] આ પ્રમાણે ભદ્રબાહુ સ્વામી કહે છે. ટીકાકાર હરિભદ્ર સૂરિ મહારાજે પિંડ નિયુક્તિની ટીકા જુદી કરેલી હોવી જોઈએ, તેને આશ્રયીને આ વચન છે.) ર૩૯. पिण्डेसणा य सवा संखेवेणोयरइ नवसु कोडीसु । न हणइ न पयइ, न किणइ कारावणअणुमईहि नव ॥२४०॥
"હવે આ અધ્યયનનો શામાં અવતાર થાય છે તે કહે છે. પિંડેષણા જેના બેતાલીસ ભેદ ઉદ્ગમ વિગેરે છે એ ટૂંકાણમાં નવકોટીમાં અવતરે છે, તે આ પ્રમાણે છે (૧) પોતે ન હણે, ન રાંધે. ન ખરીદી કરે. અને બીજા પાસે ન હણાવે, ન રંધાવે, ન ખરીદી કરાવે, તથા મારનારા. રાંધનારા તથા ખરીદ કરનારાને આજ્ઞા ન આપે પ્રશંસા પણ ન કરે, એટલે કરાવવું અને અનુમોદવું તેનો પણ નિષેધ થયો, આ નવે પ્રકારની પિંડેષણા બે પ્રકારે કરાય છે. ર૪| सा नवहा दुह कीरइ, उग्गमकोडी, विसोहिकोडी अ । छसु पढमा ओयरइ, कीयतियम्मी विसोहि उ ॥२४१॥
ઉમકોટી અને વિશોષિકોટી છે. તેમાં હણવું, હણાવવું, અનુમોદવું, રાંધવું, રંધાવવું અને અનુમોદવું તે ઉદ્રમકોટી અને તેજ અવિશોધિ કોટી છે એટલે તેમાં તેનો સમાવેશ થાય છે. અને પાછલા ત્રણ ખરીદવું, ખરીદાવવું અને ખરીદતાને ભલો જાણવો એ ત્રણ વિશોધિકોટીમાં સમાય છે. તેજ વાત ભાષ્યકાર કહે છે. ર૪૧.
कोडीकरणं दुविहं, उग्गमकोडी विसोहिकोडी अ । उग्गमकोडी छक्कं, विसोहिकोडी अणेगविहा ॥६॥भा.
કોટી બે પ્રકારની છે. ઉદ્રમકોટી અને વિશોધિકોટી છે. જેમાં ઉદ્રમકોટી તે હણાવવું, વિગેરે પૂર્વે કહેલા છે. તે છ પ્રકારે છે. તેમાં આધાકદિ વિગેરે જાણવું અને વિશોધિકોટીમાં ખરીદવું વિગેરે ત્રણ પ્રકારે છે. તે અનેક રીતે ઓઘ ઉદેશિક વિગેરે છે તેમાં છ કોટી કહે છે. I૬૨ ભા. __ कम्मुदेसिअचरिमतिग, पूइयं मीसचरिमपाहुडिआ । अझोयर अविसोही, विसोहिकोडी भवे सेसा ॥२४२॥
અવિશોધિકોટીના ૬ ભેદ છે તે બતાવે છે. (૧) કર્મ=આધાકર્મી આહાર (૨) ઉદ્દેશક તેના છેલ્લા ત્રણ ભેદ [૧] સમુદેશ=પાખંડી [૨] આદેશ=શ્રમણ [૩] સમાદેશ=નિગ્રંથ (૩) પૂતિ=છેલ્લી બાદર પૂતિ લેવી. આધાકર્મથી મિશ્ર આહાર પાણી વગેરે હોય તે, (૪) મિશ્રજાત= પાખંડ, શ્રમણ, નિર્ગધ વગેરેનું સાથે બનાવેલ હોય તે (૫) બાદર પ્રાકૃતિકા=પોતાના ઇચ્છિત પૂજ્ય સાધુના બહુમાનના કારણે બનાવેલ (૬) અધ્યવપૂરક=પોતાના માટે બનાવેલ આહારમાં સાધુ-સાધ્વી માટે વધારે બનાવે. બાકીના વિશોધિકોટીમાં લેવા કે જે ક્રોધ પ્રામિત્ય વગેરે. હવે રાગાદિની યોજના વડે કોટીની સંખ્યા કહે છે. અગ્નિના સંપર્કથી બને તે અવિશોધિ કોટીમાં ગણી શકાય?
नव वेवठ्ठारसगा, सत्तावीसा तहेव चउपन्ना । नउई दो चेव सया सत्तरिआ हुंति कोडीण ॥२४३॥ ૧ ઉત્તરા. ૨૪/૧૧-૧૨ ૨ A સ્થાનાંગ : ૯-૩, 3 પિ.નિ.: ૩૯૨ થી ૪૧૦ ૩ A સ્થાનાંગ ૭-૫૪૫ વૃત્તિ. B પ્રવચન સારોદ્ધાર ૭૩૯-૭૪૩
*
૨