________________
પાંચમું અધ્યયન
“ ટ્રરાવત્નિસૂત્ર મા પ૨ - માગ 3
નથી પણ બીજા માણસો અથવા તેમને માટે છે તો શુદ્ધ બુદ્ધિથી વિચારીને લેવું પણ વિચાર કર્યા વિના લે, તો દોષ લાગે. આપદા [વિશેષે કરીને બાળકોને પૂછવાથી શીઘ્ર નિઃશંક થવાય.]
असणं पाणगं वावि, खाइम साइम तहा । पुप्फेसु हुज्ज उम्मिसं, बीएसु हरिएसु वा ॥५॥ तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिस ॥५८॥
ખાવા પીવા વિગેરેની વસ્તુમાં જાઈ પાટલ વિગેરેના ફૂલ હોય અથવા બીજ હોય અથવા હરિત શાક વિગેરે હોય તો સાધુને લેવું ન ઘટે આપે તો કહેવું કે અમારે ઉચિત નથી. ૫૭-૫૮
असणं पाणगं वावि, खाइम साइम तहा । उदगमि होज निक्खितं, उत्तिंग-पणगेसु वा ॥५९॥ तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । बेतियं पडियाइक्ने, न मे कप्पड़ तारिस ॥६०॥
તે પ્રમાણે આહારમાં કાચું પાણી જોડે હોય અથવા ઉતિંગ (કીડીનું દર કીડીઆરૂ) હોય અથવા પનક (લીલ બાઝેલી) હોય તેમાં આહાર પડ્યો હોય તો તે એહર ન લેવો. પાણીમાં મૂકેલું બે પ્રકારે છે (૧) એક તો તદન જોડે જેમ કે પાણીમાં ખાવાની વસ્તુ મૂકી હોય (૨) અને એક આંતરે હોય જેમ કે પાણીના ઘડા ઊપરદહીનું વાસણ મૂકેલું હોય તે પ્રમાણે ઉસિંગ અને પનકમાં પણ સમજી લેવું. ઊપર કહેલો આહાર આપે તો સાધુને લેવો ન ઘટે પણ કહેવું કે અમને આ ઉચિત નથી, I/૫૯-૬oll
असणं पाणगं वावि, खाइम साइम तहा । अगणिम्मि(तेउम्मि) होउज निक्खित, तं च संघट्टिया दए ॥१॥
तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं ।
देतियं पडियाइक्वे, न मे कप्पड़ तारिस ॥२॥ ઊપર પ્રમાણે કોઈ વસ્તુ અગ્નિમાં લાગુ ોય અને અગ્નિને અડકીને આપે તો લેવું ન ઘટે અને કહેવું કે તે સાધુને લેવું ઉચિત નથી. I૬૧-૬૨TI एवं उस्सक्कियां, ओसक्किया, उज्जालिया, पज्जालिया, निवाविया, उस्सिंचिया,
निस्सिंचिया, ओवत्तिया, ओयारिया दए ॥३॥
तं भवे भत्त-पाणं तु, संजयाणं अकप्पियं ।
देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥६४॥ એજ પ્રમાણે અગ્નિ ન બૂઝાય માટે ફૂંક મારીને વહોરાવે અથવા ઘણું બળી ન જાય માટે અંગારા ખસેડીને વહોરાવે અથવા વધારે બળતું કરવા લાકડાં ઉમેરીને વહોરાવે, અથવા વારે વારે લાકડાં નાખતાં વહોરાવે અથવા બળવાના ભયથી અગ્નિ બૂઝાવીને વહોરાવે એજ પ્રમાણે અગ્નિને દુઃખ દઈને વહોરાવે તો લેવું ન કહ્યું તથા ઘણા ભરેલા વાસણમાંથી ઉભરાવાના ભયથી અથવા ઓસામણ વિગેરે દાન આપવાના માટે થોડું કાઢીને અથવા દાન આપવા માટે બીજા વાસણમાં કાઢીને વહોરાવે અથવા નીચે ઉતારીને અગ્નિને પાણી છાંટીને અથવા અગ્નિ ઊપર મકેલા વાસણ ને આમતેમ કરીને વાસણમાંથી વહોરાવે આ બધી ક્રિયા સાધુ માટે થતી હોય તો સાધુઓને તે લેવું અયોગ્ય છે અને આપે તો કહે કે અમને લેવું નથી ઘટતું (આમાં અગ્નિના જીવને દુઃખ થાય તથા બાઈને લેતાં મૂકતાં ભય રહે માટે ન લેવું પણ ગૃહસ્થને પોતાના માટે ક્રિયા થઈ ગઈ હોય તો લેવાને અડચણ નથી.)I૬૩-૬૪ होज कट्ठ सिलं वावि, इट्टाल वावि एगया । ठवियं संकट्ठाए, तं च होउज चलायलं ॥६५॥
ગોચરી વિગેરેમાં સાધુ ગયો હોય ત્યાં લોકોએ પાણીમાં ચાલનારને પગ ન મૂકવો પડે માટે લાકડું પથરો ઈટાળા ગોઠવ્યા હોય તે પ્રાયે ચલાયમાન હોય છે. દા.
૧૩