________________
પાંચમું અધ્યયન
શ્રી ટૂરાવે નિસૂત્ર માપાંતર્થ - માગ રૂ
तहेवुच्चावयं पाणं, अदुवा वारधोवणं । संसेइमं चाउलोदगं, अहुणाधोयं विवज्जए ॥ ७५ ॥ હવે ગોચરીમાં પાણી ઊંચું અને નીચું તે દ્રાક્ષ વિગેરેનું ઊંચું તથા આરનાલનું (ખરાબ) પાણી નીચું અથવા ગોળના ઘડાનું ધોવણ તથા સંસ્વેદજ (લોટનું ધોવણ) તથા ચોખાનું ધોવણ તે તુરતનું હોય તો લેવું ન કલ્પે પણ તે લેવાની વિધિ કહે છે. I૭૫
जं जाणेज्ज चिराधोयं, मईए दंसणेण वा । पडिपुच्छिऊण सोच्या वा जं च निस्संकियं भवे ॥ ७६ ॥ 'ઘણા વખતનું ધોવણ હોય તે, બુદ્ધિથી અથવા જોવાથી સમજાય તો ગૃહસ્થને પૂછી જુએ, અને નક્કી કરીને અચિત્ત જાણીને લે, એટલે તેમાં પરપોટા ઉઠતા બેસી ગયા હોય, તે લે. આ વિધિ પિંડ નિર્યુક્તિમાં છે. ।।૭૬ા
अजीवं परिणयं नच्या, पडिगाहेज्ज संजए । अह संकियं भवेज्जा, आसाइत्ताण रोयए ॥७७॥
ઊનું પાણી બરોબર ત્રણ ઉકાળાથી ઉકળેલું હોય તેને બુદ્ધિ તથા દેખવાથી જાણે કે આ સાધુને લેવા યોગ્ય છે, અને દેહને ઉપકારક છે, તે જાણે અને શંકા પડે તો થોડું લઈ ચાખી જાવે, ખાત્રી થએથી લેવા જેવું હોય તો લે. I99
થોવનાભાવગદાર, હત્યામ તાહિ ને ! મા મે ઞવિત પૂર્ણ, નાત તન્હેં વિને(નિ)રણ ૫ા
આપનાર બાઈને કહેવું કે મને થોડું હાથમાં આપો હું ચાખી જોઉં. જો યોગ્ય હશે તો લઈશ. પણ તે ઘણું ખાટું હોય અથવા ગંધ મારતું હોય તો તેનાથી તરસ છીપે નહિ. I૭૮
तं च अच्यंबिलं पूई, नालं तण्हं विशेत्तए । देतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ॥ ७९ ॥ તેવું ખાટું ગંધાતું પાણી, તરસ મટાડવા કામ ન લાગે માટે આપનારને નિષેધ કરી કહેવું કે અમને
યોગ્ય નથી. I૭૯।।
तं च होज्ज अकामेणं, विमणेण पडिच्छियं । तं अप्पणा न पिबे, नोवि अन्नस्स दावए ॥८०॥ કર્મ સંજોગે ઇચ્છા નહિ છતાં તેણે આપી દીધું અથવા ભૂલથી સાધુએ લઈ લીધું તો પણ પોતે પીએ નહિ, તેમ બીજા સાધુને પીવા આપવું નહિ. II૮૦
एगतमवक्कमित्ता, अचितं पडिलेहिया । जयं परिट्ठवेज्जा, परिट्ठप्प पडिक्कमे ॥८१॥
એ પાણી લઈને જ્યાં એકાંત અને જીવરહિત જગ્યા અથવા નિભાડો હોય ત્યાં જગ્યાને પુંજીને યતનાથી પરઠવીને પાછા આવવું. ૮૧॥
सिया य गोयरग्गगओ, इच्छेज्जापरिषोत्तुयं (भुजिउ ) । कोट्ठगं भित्तिमूलं वा, पडिलेहिताण फासूयं ॥८२॥ अणुन्नवेत्तु मेहावी, पडिच्छन्नमि संवुडे । हत्थगं संपमज्जिता, तत्थ भुजेज्ज संजए ॥८३॥
રસાધુ બીજે ગામ અથવા દૂર ગોચરી ગયો હોય અને કદાચ ભૂખ અથવા તરસ લાગી, અને રસ્તામાં સાધુને રહેવા યોગ્ય સ્થાન ન મળે તો શૂન્ય, મઠ વિગેરે હોય, અથવા કોઈ ઘરની ભીંત હોય તો બાજુની જગ્યા આંખથી નિર્જીવ જોઈ ઓઘાથી પુંજીને તે મકાનના માલીકની વિશ્રાંતિ લેવાને રજા લઈને બુદ્ધિમાન સાધુ એકાંતમાં ઊપર ઢાંકેલું હોય ત્યાં ઈર્યા પ્રતિક્રમણ કરીને મુહપત્તિથી કાયાને પુંજીને રાગદ્વેષ દૂર કરીને પોતે ખાય. ૮૨
૮૩૦
तत्थ से भुजमाणस्स, अट्ठियं कंटओ सिया । तण कट्टु सक्करं वावि, अन्नं वा वि तहाविहं ॥ ८४ ॥
૧ આ.રૂ. ૧.૯૯ ૨ .વૃ. પત્ર ૬૦-૬૧
૧૫