________________
સાતમું અધ્યયન
'श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
“वाक्यशुद्धयाख्य सप्तममध्ययनम्" વાક્ય શુદ્ધિ નામનું ૭મું અધ્યયન
હવે વાક્ય શુદ્ધિ નામનું સાતમું અધ્યયન કહે છે. છઠ્ઠામાં કહ્યું છે કે સાધુએ ગોચરીમાં જતાં પોતે જાણવા છતાં તથા પૂછવા છતાં પણ ધર્મ કથા વિસ્તારથી ન કરવી પણ પોતાના ગુરુ પાસે સ્થાનમાં મોકલવા અહીંયાં સાતમા અધ્યયનમાં બતાવશે કે ધર્મ કથા કરનાર પ્રથમ બોલવાના દોષો અને ગુણો શું થશે તે જાણીને નિર્વદ્ય વચન વડે ઉપદેશ આપવો, તેજ ગાથા કહે છે.
सावजणवज्जाणं वयणाणं जो न याणइ विसेसं । वोतुंपि तस्स ण खमं, किमंग पुण देसणं काउं? ॥१॥
સાવદ્ય અને નિરવદ્ય વચનનું જે સાધુ વિશેષ પણું નથી જાણતો તેને બોલવાની પણ આજ્ઞા નથી. તો ઉપદેશ દેવાનો અધિકાર ક્યાંથી હોય? (તેણે ઉપદેશ ન આપવો.) આ પ્રમાણે છઠ્ઠા સાતમા અધ્યયનનો સંબંધ છે. એના અનુયોગ દ્વારનું વર્ણન કરવું. તેમાં પૂર્વની માફક નામ નિક્ષેપા સુધી બતાવવું. અને તેમાં “વાક્ય શુદ્ધિ' વાળા પદનું નામ જાણવું તેમાં પ્રથમ વાક્યના નિક્ષેપા કહે છે. આવા
निक्खेवो अ(उ) चउक्को वक्के दव्वं तु भासदव्वाई। भावे भासासद्दो तस्स य एगट्ठिआ इणमो ॥२६९॥..
નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચાર પ્રકારે વાક્યનો નિક્ષેપો જાણવો નામ સ્થાપના સંગમ છે. દ્રવ્ય વાક્ય તે “જ્ઞ-શરીર ભવ્ય શરીર તે બે થી જુદું, ભાષાદ્રવ્ય તે દ્રવ્ય વાક્ય જાણવું. એટલે બોલનારે ગ્રહણ કરેલા પણ તે પુદ્ગલો જ્યાં સુધી ન બોલે ત્યાં સુધી જાણવા. પણ ઉચ્ચાર કર્યા પછી તે ભાષાદ્રવ્ય શબ્દ પણે પરિણમે છે. તે ભાવવાક્ય છે. તે વાક્યના એક અર્થવાળાં નામો નીચે મુજબ છે, ર૬૯ો.
वक्कं वयणं च गिरा सरस्सई भारही अगो वाणी। भासा पन्नवणी देसणी अ वयजोग जोगे अ ॥२७०॥
વાક્ય, વચન, ગી, સરસ્વતી, ભારતી, ગૌ, વાક, ભાષા, પ્રજ્ઞાપની, દેશની, વાગ્યોગ, યોગ, તે નિગદ સિદ્ધ છે. (સ્વયં સમજાય તેવાં છે) એટલે બધાનો એક જ અર્થ થાય છે. ર૭ll,
दव्वे तिविहा गहणे अनिसिरणे तह भवे पराघाए । भावे दब्वे अ सुए चरित्तमाराहणी चेव ॥२७॥
“દ્રવ્ય ભાષા” ત્રણ પ્રકારની છે. લેવામાં, કાઢવામાં તથા પરને આઘાત કરવામાં છે. તેમાં કાય યોગ વડે ભાષા દ્રવ્યનું ગ્રહણ કરવું તે ગ્રહણ દ્રવ્ય ભાષા છે તથા તેજ ભાષા દ્રવ્યોને વાક્ય યોગ વડે બહાર કાઢવા (ઉચ્ચાર કરવા) તે નિસર્ગ ભાષા છે. અને (૩નીકળેલા ભાષાના દ્રવ્ય વડે અન્યને પોતાના રૂપે પરિણામ પમાડવા પ્રેરણા કરવાની જે ક્રિયા તે પરાઘાત છે. આ ત્રણે પ્રકારની ક્રિયા દ્રવ્ય યોગનું પ્રધાનપણું બતાવવાની ઇચ્છાથી દ્રવ્ય ભાષા કહી છે. અને ભાવદ્વારને વિચારતાં તેજ ભાવ ભાષા ત્રણ પ્રકારની જ છે. દ્રવ્યમાં, શ્રતમાં, તથા ચારિત્રમાં, તે ભેદ લગાડવા એટલે દ્રવ્ય ભાવ ભાષા છે. તે જ પ્રમાણે શ્રતજ્ઞાનને આશ્રયીને જે બોલાય તે મૃતભાવ ભાષા જાણવી. અને ચારિત્રને આશ્રયીને જે બોલાય તે ચારિત્ર ભાવ ભાષા જાણવી. આ ત્રણે પ્રકારની ભાષા બોલનારા દ્રવ્ય ભાવના પ્રધાનપણાની અપેક્ષાએ ભાવભાષા છે. અને તેજ ઓઘથી દ્રવ્ય વિગેરેની આરાધના બતાવવાથી આરાધનિ કહેવાય છે અને “ચ” શબ્દથી વિરાધના તથા ઉભય અનુભવ થાય છે. તે પણ દ્રવ્યાદિ આરાધના વિગેરેથી જાણવી, વાદીની શંકા–અહીંયાં દ્રવ્ય ભાવ વાક્યનું સ્વરૂપ બતાવવું. કારણ કે તેનો વિષય છે. ત્યારે ભાષાનું વર્ણન શા માટે કરો છો? ઉત્તર-વાક્ય અને ભાષા બંને એક અર્થવાળાં હોવાથી દોષ નથી. ખરી રીતે
૧ A (૧) ગ્રહણ (૨) નિકળવું (૩) પરાઘાત B વિ.ભા.-૩૬૯ થી ૩૭૨
૩૯