________________
श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३
સાતમું અધ્યયન
જોતાં વાક્યનું જ વર્ણન ચાલે છે. આ ગાથાનો સામટો અર્થ કહ્યો, પણ અવયવનો અર્થ હવે કહેશે તેમાં દ્રવ્ય અને ભાવ ભાષાને ધ્યાનમાં રાખીને આરાધની વિગેરે ભાષાના ભેદની યોજનાને કહે છે.//ર૭૧TI
आराहणी उ दवे सच्चा मोसा विराहणी होइ । सच्चामोसा मीसा असच्चमोसा य पडिसेहा ॥२७२॥
આરાધની ભાષાનું વર્ણન કરે છે. પરલોકની પીડા ન થાય તેવી રીતે વસ્તુને કહે તે આરાધની ભાષા છે તે દ્રવ્ય સંબંધી ભાવભાષા તે સત્યાભાષા જાણવી અને મૂળમાં ત શબ્દ છે. તેથી જાણવું કે તે દ્રવ્યથી કોઈ વિરાધની પણ સત્ય હોઈ શકે. પરપીડા સંરક્ષણના ફળના ભાવને આરાધવાથી સત્ય છે. અને વિરાધનાથી મૃષાભાષા વિરાધની થાય છે. એટલે દ્રવ્યને બીજી રીતે કહેવાથી વિરાધના થાય એ જ પ્રમાણે કંઈક સાચી કંઈક જુઠી તે મિશ્રભાષા થાય છે. એટલે તેમાં થોડું આરાધનાનું ફળ હોય. અને થોડું વિરાધનાનું ફળ હોય છે તથા આરાધની ન હોય, તેમ વિરાધની પણ ન હોય. તેવી ભાષા અસત્ય પૃષા ભાષા કહેવાય તેનાથી કહેવાતા દ્રવ્યમાં સત્ય અને અસત્ય એ બંનેનો અભાવ છે. આ ચાર ભાષાનું સ્વરૂપ ઉદાહરણો વડે ખુલ્લું થશે, પ્રથમ સત્યભાષાનું વર્ણન કરે છે. ર૭ર..
जणवयसम्मयठवणा नामे रुवे पडुच्च सच्चे अ। ववहारभावजोगो दसमे ओवम्मसच्चे अ॥२७३॥
સત્ય વાક્ય દશ પ્રકારનું છે. તેમાં જનપદ સત્ય વિગેરે ભેદો છે. તેમાં જુદા જુદા દેશના લોકો જુદી જુદી ભાષા બોલે છે. તેથી એક બીજાનું બોલવું એક બીજાના અર્થને મળતાપણું હોય અને તેથી જ તેમનો વહેવાર ચાલે તો તે (૧) જનપદ (દેશ) સત્ય જાણવું, જેમ કે ઉદકને કોકણ વિગેરે દેશમાં પય –પિચ્ચે, ઉદક, નીર, વિગેરે કહે તે બધું લુચ્ચાઈ વિનાનું હોવાથી જુદા જુદા દેશને ઇચ્છિત અર્થને મેળવવામાં ઉપયોગી હોવાથી જે દેશમાં જે શબ્દ બોલાય તો તેને વાપરવામાં હરકત નથી. અને તે જનપદ સત્ય કહેવાય એ પ્રમાણે બીજા ભેદો પણ જાણવા. (૨) સંમત-સત્ય એટલે કમદ કવલય ઉત્પલ તામરસ એ ચારે એક સરખા પંક (કાદવ)માં ઉત્પન્ન થાય છે. છતાં ગોવાળીઆથી રાજા સુધી બધાને એ જ માન્ય છે કે અરવિંદ ને જ પંકજ કહેવું, હવે (૩) સ્થાપના સત્ય કહે છે, મુદ્રા (વીંટી અથવા સીક્કો)માં જે લેખ લખાય અક્ષર કોતરાય કે આ તોલમાં માસો છે. અથવા આ કાર્દાપણ (એકજાત નો સીક્કો) આ સો છે આ હજાર છે. (હુંડી, નોટ વિગેરેમાં તે આંકડા પ્રત્યક્ષ છે) (૪)નામ સત્ય તે કોઈ માણસ કુળને વધારનારો ન પણ હોય. તો પણ કુળવર્ધન નામ પાડ્યું હોય તો તે પણ સત્ય છે. એ પ્રમાણે ધનવર્ધન ન હોય તો પણ ધનવર્ધન નામ પાડે તે સત્ય છે. તે પ્રમાણે યક્ષ ન હોય છતાં નામ યક્ષ પાડે તો તે યક્ષ કહેવાય હવે (૫) રૂપ સત્ય કહે છે. કોઈનામાં તેવા ગુણો ન હોય છતાં તેનું રૂપ ધારે તો તે રૂપ સત્ય કહેવાય, જેમ કે કોઈમાં સાધુના ગુણો નથી, પણ સાધુનો વેષ ધારે, તો તે રૂપ સાધુ કહેવાય છે. (૬) પ્રતીત્ય સત્ય કહે છે. જેમકે, અનામિકા આંગળીનું બીજી આંગળી સાથે સરખાપણું કરતાં તે લાંબી ટૂંકી કહેવાય. તે પ્રમાણે આ અનંત પરિણામવાળા દ્રવ્યનું તે તે સહકારી કારણોના સંબંધથી તે તે રૂપ પ્રગટ થાય છે. તે પ્રતીય સત્ય કહેવાય છે. હવે (૭) વ્યવહાર સત્ય કહે છે. (ઘાસ બળતુ હોય) છતાં પહાડ બળે છે તેમ કહેવાય છે. પાણી ઝરતું હોય છતાં ઘડો ઝરે છે એમ કહેવાય છે, તથા પેટછતાં અન્દરા (પેટ વિનાની) કન્યા કહેવાય છે. તે આગળ કહેશે, અલોમા એટલે પેટ ઊપર વાળ ઓછા હોય, તેને કહે છે. એ પ્રમાણે એડકા તથા પહાડમાં રહેલ ઘાસનું બળવું પણ આ પ્રમાણે વહેવાર વર્તે છે. અનુદરાનો અર્થ આ છે કે, જે કન્યાને પુરુષથી ગર્ભ રહેવાનો તે સમય સંભવ ન હોય, તો તે અનુદરા સ્ત્રી કહેવાય છે, તથા કાપવા યોગ્ય રૂવાંટી વધી ન હોય તો ઘેટાંને અલોમ એડક કહે છે. (૮) ભાવ સત્ય આ પ્રમાણે છે. બગલામાં પાંચ રંગ હોય પણ તેમાં ધોળો રંગ વધારે હોવાથી ધોળા કહેવાય છે. તથા (૯) યોગ સત્ય તે આ પ્રમાણે છે. છત્રના યોગથી છત્રી કહેવાય, અને દંડના યોગથી દંડી કહેવાય. (૧૦) ઉપમા સત્ય એ પ્રમાણે જાણવું જે તલાવ મોટું હોય તે સમુદ્ર જેવું કહેવાય છે. આ દશ પ્રકારની સત્ય ભાષા કહી એટલે જનપદ,
૪૦