________________
છઠું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
"સર્વે જીવો જીવવાને ઇચ્છે છે, પણ દરેકને પ્રાણ વહાલા હોવાથી મરવાને ઇચ્છતા નથી તેટલા માટે પ્રાણ વધ તે દુઃખનો હેતુ હોવાથી ભયંકર જાણીને સાધુઓ હિંસાને ત્યાગે છે. (સૂત્રમાં “ણું” શબ્દ છે તે ફક્ત વાણીની શોભા માટે છે. જેમ ગુજરાતીમાં કવિતામાં “લોલ” શબ્દ વપરાય છે.)I/૧૦ अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जड़ वा भया । हिंसग न मुसं बूया, नो वि अन्न वयावए ॥११॥
પ્રથમ સ્થાનમાં અહિંસા બતાવી બીજામાં જુઠન બોલવું તે બતાવે છે. પોતાના માટે જૂઠું બોલે. જેમ કે પોતે માંદો ન હોય છતાં હું માંદ છું. તેથી મારે આ વસ્તુ જોઈએ એમ કહે તે જ પ્રમાણે બીજો માંદો ન હોય છતાં માંદો કહી કંઈ પણ સ્વાર્થ સાધે અથવા ક્રોધથી બીજાને તે દાસ ન હોય છતાં દાસ કહી અપમાન કરે, એ પ્રમાણે માનથી પોતે પંડિત ન હોય છતાં પંડિત તરીકે ઓળખાવે તથા ગોચરીમાં જવાના પ્રમાદથી કપટથી કહે મારો પગ દુ:ખે છે. પણ પગ દુ:ખતો ન હોય, તથા લોભથી જુઠું બોલે જેમ કે શુદ્ધ આહાર મળતો હોય પણ સ્વાદિષ્ટ ન હોય તો ગૃહસ્થ ને કહે, આ તો અમારે સાધુને ખપે તેવો નથી. એ પ્રમાણે બોલે. ભયથી જૂઠું બોલે એટલે પાપ કર્યું હોય છતાં દડ આપશે એમ સમજી ગુન્હો કબુલ ન કરે, અથવા જેમ તેમ ખોટું બોલે, તે પ્રમાણે બીજાની હાંસી કરવા જૂઠું બોલે, આ જૂઠું બોલવું પરપીડા કરનારું છે. માટે સાધુએ સર્વથા જુઠું ન બોલવું. બીજાની પાસે ન બોલાવવું. જૂઠું બોલનારને ભલો જાણવો નહિ.ll૧૧| मुसावाओ य(उ) लोगम्मि, सब्बसाहहिं गरहिओ । अविस्सासो य भूयाण, तम्हा मोस विवज्जए ॥१२॥
જુઠાને આ લોકમાં બધા સાધુ પુરુષોએ નિંદ્યો છે. કારણ બીજાં વ્રતોને તે નાશ કરનાર છે તથા લીધેલી પ્રતિજ્ઞા ન પાળવાથી તેનો કોઈ વિશ્વાસ ન કરે, તેથી જુઠો સાધુ સર્વેને વિશ્વાસ કરવા યોગ્ય નથી. માટે સાધુઓ જાઠને તજે. ll૧૨ા
चित्तमतमचित्तं वा, अप्पं वा जड़ वा बहुं । दंतसोहणमेतपि, ओग्गहं सि अजाइया ॥१३॥
ત્રીજા સ્થાનમાં ચોરી ન કરવી તે બતાવે છે. જીવવાળી તે જીવ એટલે બે પજ્વાળાં પુરુષ, સ્ત્રી અથવા બાળક તેની ચોરી સાધુન કરે અથવા અચિત્ત – સોનું વિગેરે ન લે, અથવા હલકી કિંમતનું અથવા હલકા પ્રમાણનું તથા ભારે કિંમતનું કંઈ પણ ન લે, તથા દાંત ખોતરવાની ઘાસની સળી પણ પૂક્યા વિના ન લે. ૧૩ तं अप्पणा न गिहति नोऽवि गेण्हावए परं । अन्नं वा गेण्हमाणपि, नाणुजाणति संजया ॥१४॥
તેટલા માટે સાધુએ સચિત્ત વસ્તુ ત્યાગેલી હોવાથી પોતે ન લે ને બીજા પાસે લેવડાવે નહિ, તથા લેનારને ભલો જાણે નહિ. (વળી સાધુને યોગ્ય વસ્તુ પણ ગૃહસ્થ પાસે યાચના કરીને વાપરે.) પણ પૂક્યા વિના ન લે. I૧૪ો.
अबभचरियं घोरं, पमायं दुरहिट्ठि यं । नाऽऽयरंति मुणी लोए, भेयाययणवज्जिणो ॥१५॥ मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्ग, निग्गथा वज्जयति णं ॥१६॥
ચોથું સ્થાન કહે છે. સ્ત્રી સંગ તે મહા ભયંકર છે, કારણ કે તેનાથી બીજા ઊપર દુષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે. તથા બધા પ્રમાદનું મૂળ હેવાથી (ધર્મક્રિયામાં) પ્રમાદ થાય છે અને જિનેશ્વરના વચન પ્રમાણે અનંત સંસાર ભ્રમણ કરાવનાર હોવાથી દુરાશ્રય છે. એટલા માટે ચારિત્રના ભેદનું સ્થાન જાણીને આ લોકમાં મુનિઓ સ્ત્રી સંગ કરતા નથી. વળી આ અધર્મનું મૂળ છે તથા આ લોકમાં મોટો દોષ એ છે કે તેનાથી ચોરી વિગેરે કરવી પડે, અને પરલોકમાં દુર્ગતિ મલે, આવું જાણીને મૈથુનનો સંસર્ગ સ્ત્રીથી વાત કરવી વિગેરે છે, તે પણ
૧ ઓ.નિ. ૫૭ ૨ આવ.ચું. – ૨/૨૮૯
–' ૩૧