________________
પાંચમું અધ્યયન
“શ્રી દ્રવાલ્ટિઝૂત્ર માપત૬ - ભાગ ૨
रागाई मिच्छाई, रागाई समणधम्म नाणाई। नव नव सत्तावीसा, नव नउईए य गुणगारा ॥२४४॥
"નવ, અઢાર, સતાવીશ, ચોપન, નેવું તથા બસો સીતેર આનો ભાવાર્થ-પૂર્વાચાર્યના કહેવા પ્રમાણે આ રીતે છે. ઊપર કહેલા નવ કોટી રાગ અને દ્વેષ એ બેએ ગુણવાથી અઢાર થાય, અને તે નવાકોટીને જ મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ વડે ગુણવાથી સત્તાવીસ થાય. તેને રાગ દ્વેષ વડે ગુણવાથી ચોપન થાય તથા તે નવને દશ પ્રકારના શ્રમણ ધર્મ વડે ગુણવાથી નેવું વિશુદ્ધ ભેદ થાય છે. તથા તેને જ્ઞાન-દર્શનચારિત્ર એ ત્રણ ભેદે ગુણવાથી બસો સીતેર થાય છે. આ નામ નિષ્પન્ન નિક્ષેપો થયો હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. વિગેરે ચર્ચા પૂર્વ માફક છે. સૂત્ર અનુગમમાં અસ્મલિત ગુણયુક્ત ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે છે. ર૪૩-૨૪૪
संपत्ते भिक्खकालमि, असमतो अमुच्छिओ । इमेण कमजोगेण, भत्तपाण गवेसए ॥१॥ से गामे वा नगरे वा, गोयरग्गगओ मुणी। चरे मदमणुविग्गो, अव्वक्खित्तेण चेअसा ॥२॥ - સારી રીતે જાણવા વિગેરેથી વખત જતાં જ્યારે ગોચરી કાળ થાય ત્યારે સાધુએ જવું. આ કહેવાથી કાળ ન થયો હોય તો ગોચરી ન જવું. કારણ કે ગોચરી જવા છતાં રંધાયા વિના મળે નહિ. તથા પ્રભુની આજ્ઞાનો લોપ. થાય. તથા દેખેલું ન દેખેલું તેનો વિરોધ થાય. (સાધુ માટે વહેલું રાંધી મૂકવાનો પ્રસંગ આવે અથવા ગોચરી ન મળે તો તેના ઊપર ક્રોધ આવે) હવે બરોબર વખત થયે ગોચરી જતાં આકુળ થવું નહિ, પણ ઉપયોગ રાખીને ચાલવું તથા પિંડ તથા મનોહર ગાયન વિગેરેમાં રસિક થઈ ઘેલા ન થવું. કારણ કે ફક્ત ગોચરીનું જ લક્ષ રહેવું જોઈએ. એમ નહિ, પણ પોતાની જે ક્રિયા કરવાની હોય તે કરીને જ ઉઠે, અને હવે પછીની ગાથામાં કહેવાતા લક્ષણોવાળા ક્રમ વડે સાધુને યોગ્ય ભાત, ઓસામણ વિગેરે શોધતો જાય. (૧) તે પ્રમાણે સંભ્રમ તે મૂછ રહિત થઈ ગામમાં, નગરમાં તથા પરાં વિગેરેમાં ગાયના ચરવાની માફક ચાલતો, ઉત્તમ, અધમ, મધ્યમ કુલોમાં રાગદ્વેષ કર્યા વિના ભિક્ષાટન કરે, અગ્ર એટલે પ્રધાન એવો મુનિ પોતે કોઈ સામે લાવીને અથવા આધા કર્માદિ દોષિત આહાર આપે તો પોતે ન લે. એવો તે મુનિ ભાવસાધુ છે. તે ધીમે ધીમે ચાલે, તેમ ઉગ રહિત, (પ્રશાંત) એટલે પરિષહ વિગેરે દુઃખોથી ન કંટાળતાં, ચિત્ત બીજે ન રાખતાં પોતાની એષણામાં ઉપયોગ રાખી ચાલે. તેમાં વત્સ અને વાણીયાની બૈરીના દૃષ્ટાંતથી ગાયન વિગેરેમાં લક્ષ્ય ન રાખે. ll૧-૨II Tગો ગુમાવી, વેહનાનો માં રે વળેતો (રબ્બતો) સીગદરિવારું, નાને મ માં તારા
સામે યુગ માત્ર એટલે પોતાના શરીર પ્રમાણ અથવા ગાડાના ધૂસરા પ્રમાણ જેટલી લાંબી દૃષ્ટિ જમીન ઊપર રાખી ચાલે, અને તેમાં બીજ, હરિત ત્યાગે. આ બે વસ્તુના કહેવાથી એમ જાણવું કે સાધુએ દેખીને પગ મૂકતાં તેમાં જો વનસ્પતિ પડી હોય તો તેના ઊપર પગ ન મૂકે, તથા પ્રાણ તે બે ઈન્દ્રિય વિગેરે હાલતાં ચાલતાં નાના મોટાં જન્તુ કે જીવો હોય તે દેખે, તથા પાણી અને માટી અને તેથી જ અગ્નિ અને વાયુ પણ જાણવા. અર્થાત
૧ પિ.નિ. ૪૦૦; ૧ હણવું ૨ હણાવવું ૩ અનુમોદવું )
૧ રાંધવું ૨ રંધાવવું ૩ અનુમોદવું છે ૯
૧ વેચાતું લેવું ૨ લેવરાવવું ૩ અનુમોદવું. ૯૪૨ રાગ-દ્વેષ=૧૮, ૯૪૩ અજ્ઞાન–અવિરતિ-મિથ્યાત્વ=૨૭૪૨=રાગ-દ્વેષ=૫૪;
૯૪૧૦ શ્રમણધર્મ=૯૦૪૩ દર્શનજ્ઞાન-ચારિત્ર=૨૭૦ ૨ A ઉત્તરા.અ. ૨૬ ગાથા ૧૨/૩૫, ૨/૨૮
B બૃહત્ત. ૩૦-૨૧ _c નિશીથ ઉ. ૧૨; 0 સ્થાનાંગ ૯/૬૨; [ અ.રાજેન્દ્ર કોષ ભાગ ૩, પૃ. ૩૭૬ * ૩ ઉત્તરા.અ. ૨૪-૭; B ઉત્તરા. બુ.. ૨૪-૭
૦