________________
अध्ययन ३
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
તે સાધુ કેવા ? તે બતાવે છે. સંયમ અને ચ શબ્દથી તપ તેનાથી યુક્ત હોય તે તથા લઘુભૂત વિહારી, લઘુભૂત તે વાયુ, તેથી સમજવું કે વાયુ માફક અપ્રતિબદ્ધ વિહાર કરનારાને તે અનાચરિત છે. (તેમણે ઉપરનાં અનાચરિત ન કરવાં) આ નિગમન ક્રિયાપદ છે. || ગાથા ૧૦ ॥ હવે તેથી તેઓ કેવા થાય છે, તે બતાવે છે.
पंचासवपरिन्नाया, तिगुत्ता छसु संजया ।
પંચનિન્ગહળા ઘીરા, નિમ્બંચા કમ્બુવંસિનો | ?? ||
પંચાશ્રવ તે હિંસા વિગેરે પાંચ પાપ છે. તે જ્ઞ પરિક્ષાવડે જાણનારા, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ત્યાગનારા, તે પરિજ્ઞાતા (સંપૂર્ણ જાણનારા) અહીં આહિતાન્યાદિનો આકૃતિ ગણ હોવાથી નિષ્ઠાનો પૂર્વ નિપાત નથી. એ પ્રમાણે સમાસ યુક્ત જ છે. તે પ્રમાણે પંચાશ્રવ પરિજ્ઞાત પ્રયોગ ઠીક છે. અથવા પરિજ્ઞાત પંચાશ્રવ તેવું પદ કરે તો બરોબર અર્થ થાય છે. (લાગુ પડતાં બે પદ જોડાય અને છેવટના પદની વિભક્તિ રહે તે સમાસ કહેવાય છે. તે છુટા પડે ત્યારે વિગ્રહ કહેવાય છે.) જેઓએ પંચાશ્રવને જાણીને ત્યાગ્યા, તેથી જ તેઓ ત્રિગુપ્તા, એટલે મન, વચન, કાયાની ગુપ્તિએ ગુપ્ત છે. તથા ષટ્સ એટલે છ જીવનિકાય પૃથિવી વિગેરેમાં સર્વસ્વ પ્રકારે યતના કરનારા તે સંયત છે. તથા પાંચ નિગ્રહણા, તે નિગ્રહ કરે તે નિગ્રહણા છે. “કર્તરિવ્યુટ્ પ્રત્યય છે.” પાંચે ઇન્દ્રિયના નિગ્રહણા તે પંચ નિગ્રહણા છે. ધીરા તે બુદ્ધિમાન છે. અથવા સ્થિર છે. નિગ્રંથ સાધુ અને ઋજુ દર્શિન્ તે રૂજુ તે મોક્ષ પ્રત્યે તે હોવાથી તે સંયમ છે. તે સંયમને,ગ્રહણ કરવા યોગ્ય દેખે છે. તે રૂજુ દર્શી. અર્થાત્ મુનિઓ સંયમમાં બંધાયેલાં (રાગી) છે || ગાથાર્થ ૧૧ ||
आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा ।
વાસાસુ ડિસંતીળા, સંગયા સુસમાહિયા ।। ૨ ।।
પૂર્વે કહેલા રૂજુદર્શિન મુનિઓ કાલને આશ્રયીને આ પ્રમાણે યથાશક્તિ પરિષહ સહે છે. તે આતાપયંતિ એટલે ઉર્ધ્વસ્થાન વિગેરેથી આતાપનાને ઉષ્ણરૂતુ જે ગ્રીષ્મરૂતુ છે તેમાં લે છે. (તાપને સહે છે) તથા હેમંત (શીયાળા)ની રૂતુમાં અપાવૃતા (કપડા રહિત) ઠંડી સહે છે. અને વર્ષારૂતુમાં એકાશ્રય (એક સ્થાને નિવાસ) ક૨ના૨ા છે. તે સંયત (સાધુઓ) સમાહિત, તે જ્ઞાનાદિ પંચાચારમાં યત્ન કરનારા હોય છે. દરેક રૂતુનું બહુવચન લેવાનું કારણ એ છે કે, તે સાધુઓ દર વર્ષે આ પ્રમાણે કરે છે. તે બતાવવા માટે છે. (ઉનાળામાં તાપ શિયાળામાં ઠંડી સહે, તથા ચોમાસામાં એક જગ્યાએ રહી, સાધુ પાંચ આચાર પાળવાનો ઉદ્યમ કરે) | ગાથાર્થ ૧૨ ॥
परीसहरिऊदंता, धूयमोहा जिइंदिया ।
સવનુવપ્પદીના, પવનંતિ મહેસિળો ।। રૂ ।।
રસંયમમાર્ગથી ભ્રષ્ટ ન થવા તથા કર્મની નિર્જરા કરવા માટે પરિષહો સહન કરવા, એટલે
(૧)
(૨)
શંકરભાષ્ય-ગીતા - ૬-૮/આચા. ૩-૪૯
તત્ત્વાર્થ સૂત્ર ૯-૮/ઉત્તરા. અ. ૨ / ૧૯-૧૫/૩૨-૭/ આચા. નિ. ગા. ૨૫૧.
[ 46 ]