________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२ .
अध्ययन ४
પણ રેચથી શુદ્ધિ કરીને દવા આપે તથા અસંસ્થાપિત રત્નમાં પ્રતિબંધ ન કરે, પણ સારી રીતે સ્થાપ્યા પછી જડે, એજ પ્રમાણે ભણેલા અને કહેલા અર્થને સમજનારા શિષ્યને વ્રતનું આરોપણ કરે, પણ તે સિવાય નહિ, જો ગુરુ તે પ્રમાણે પરીક્ષા કર્યા વિના વડી દીક્ષા આપે, તો ગુરુને દોષ લાગે. અને ગુરુ પરીક્ષા કર્યા પછી વ્રત આપે, અને શિષ્ય દીક્ષાં બરાબર ન પાળે, તો શિષ્યને દોષ છે. ટુંકામાં આટલું બસ છે.
ઉપર કહ્યું છે કે “સર્વ મન્ત !” હે ગુરુ હું જીવને દુઃખ દેવાનું ત્યાગું છું. હવે તેજ વધારે ખુલાસાથી બતાવે છે. “જે સુહુમ' વિગેરે એમાં તે શબ્દ મગધ દેશનો છે. તેનો અર્થ ગુજરાતીમાં “અથ' થાય છે. તે હમેશાં કોઈપણ વાત કહેતાં પ્રથમ વપરાય છે.
સૂત્રમાં સૂક્ષ્મ, બાદર, ત્રસ અને સ્થાવર એ જીવોના ચાર ભેદ છે. અહીંયાં સૂક્ષ્મ એટલે નાનો, પણ સૂક્ષ્મ શબ્દથી સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી જે સૂક્ષ્મ જીવ છે, તે ન લેવો. તેના શરીરની હિંસા થવી અશક્ય છે. હવે ભેદોને વિશેષથી કહે છે. બાદર એટલે સ્થૂલ (આંખ વિગેરેથી જણાય તેવો) તે બે પ્રકારે છે. ત્રસ અને સ્થાવર તેમાં સૂક્ષ્મ ત્રસ તે કુન્દુ વિગેરે, અને સ્થાવરમાં વનસ્પતિ વિગેરે છે. બાદર ત્રસમાં ગાય વિગેરે અને સ્થાવરમાં પૃથ્વી વિગેરે છે. એ બધા જીવોને હું ન મારું, ન બીજા વડે મરાવું, અને બીજા મારનારાઓને ન અનુમોદું. સૂત્રમાં પ્રાકૃતની શૈલી છે. તથા છંદની રીત છે. તે પ્રમાણે વ્યાકરણના સૂત્ર સાથે વિભક્તિનો ભેદ છે, વળી અહીંયાં યાવજીજીવનો અર્થ પૂર્વ માફક. આખી જીંદગી સુધીનો છે, કે હું આ વ્રતોને આખી જીંદગી સુધી પાળીશ, સૂક્ષ્મ, બાદર, ત્રસ, સ્થાવર એ ચારનો પ્રાણાતિપાત જાણવો, તે દરેકના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી એમ બીજા ચાર ભેદે છે. તેમાં દ્રવ્યથી છ જીવ નિકાયનો અતિપાત ન કરવો, ક્ષેત્રથી તિચ્છ લોક તથા ઉર્ધ્વ તથા અધોલોક જાણવા, તે ત્રણે લોકમાં રહેલા જીવોની હિંસા ન કરૂં, કાળથી ભૂતકાળમાં અથવા રાત્રિ વિગેરેમાં હિંસા ન કરું, (કાળથી ભૂતકાળ લાગુ ન પડે, પણ વર્તમાન, ભવિષ્યને લાગુ પડે, અર્થાત્ વર્તમાનમાં જીવોને ન મારું ન ભવિષ્યમાં મારીશ.) અને ભાવથી રાગ અથવા દ્વેષથી ન મારું તેમાં માંસાદિના સ્વાદથી મારે, તે રાગ કહેવાય. અને શત્રુને મારે તે દ્વેષ કહેવાય. આ બે પ્રકારે રાગ દ્વેષથી હિંસા થઈ. (કાળથી ભૂતકાળમાં મેં એ જીવને માર્યો હોત તો ઠીક થાત એમ વિચારે તો લાગુ પડે.)
અહીંયાં ચોભંગી આ પ્રમાણે છે એક માણસ દ્રવ્યથી જીવને મારે, પણ ભાવથી ન મારે, બીજો જીવને દ્રવ્યથી ન મારે, પણ ભાવથી મારે, ત્રીજો જીવને દ્રવ્યથી મારે, અને ભાવથી પણ મારે, ચોથો માણસ જીવને દ્રવ્યથી પણ ન મારે, અને ભાવથી પણ ન મારે, આ ચોભંગી દ્રુમપુમ્બિકા નામના અધ્યયનમાં બતાવી છે. હવે વાત સ્વીકાર કર્યા પછી તેનું નિગમન કરે છે. હે ભગવનું પહેલા મહાવ્રતમાં હું તૈયાર છું. તે તમારી સામે ભાવથી વ્રત પાળવા તૈયાર છું. એટલે આજથી માંડીને સર્વે જીવોનું મારે રક્ષણ કરવાનું છે. અને જીવહિંસાથી સર્વદા પાછું હઠવાનું છે. અહીં વારેવારે ભદન્ત શબ્દથી જાણવું કે, પ્રથમ, વચમાં અને છેવટે, પણ ગુરુને પૂછ્યા વિના શિષ્ય કંઈપણ ન કરવું, અને કર્યું હોય તો ગુરુને કહી દેવું, તો તે શિષ્ય વ્રતનો આરાધક થાય છે. આ પહેલું વ્રત કહ્યું. સૂ. ૩
[82]