________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
ખાય (૪) દિવસે લે અને દિવસે ખાય, આ ચોથા ભાંગામાં આગલે દિવસે વધારે લઈ રાખે, અને બીજે દિવસે ખાય એટલે રાત્રે રાખ્યાનો દોષ લાગે એમ જાણવું. તથા દ્રવ્ય વિગેરેની ચોભંગી આ પ્રમાણે છે. (૧) કોઈ દ્રવ્યથી રાતના ખાય, પણ ભાવથી નહિ. (૨) કોઈ ભાવથી ખાય, પણ દ્રવ્યથી નહિ. (૩) કોઈ દ્રવ્યથી રાતના ખાય અને ભાવથી પણ ખાય. (૪) દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિ તેમાં સૂર્ય ન ઉગ્યો હોય છતાં ઉગેલો જાણીને ખાય, અથવા સૂર્ય આથમ્યો હોય, અને વાદળ વિગેરેના કારણથી ન આથમેલો જાણી ખાય. અથવા રાગદ્વેષ કર્યા વિના આગાઢ કારણે ખાય તો દ્રવ્યથી ખરૂં પણ ભાવથી રાત્રિ ભોજન નહિ, અને રાત્રિએ ખાવા ઉઠે, પણ ખાવાનું ન મળે, તો દ્રવ્યથી નહિ, પણ ભાવથી ખરૂં, ત્રીજો રાત્રિએ ખાવાની બુદ્ધિથી મૂર્છાવાળો થઈ ઊઠે, અને રાતના ખાય, અને ચોથામાં શૂન્ય છે. આ રાત્રિ ભોજન વિરમણ વ્રત પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ રૂજુ જડ અને વક્રજડની અપેક્ષાએ મૂળ ગુણ જોડે લીધું, અને તે મહાવ્રતમાં ઉમેરી કહ્યું, પણ વચલા બાવીસ તીર્થંકરના સાધુરૂજુ અને પ્રાજ્ઞ હોવાથી તેમને રાત્રિ ભોજન વિરમણ વ્રત ઉત્તર ગુણમાં કહ્યું (અહિંઆં વિસ્તારના ભયથી વિશેષ કહેતાં નથી. પણ ચોથું મહાવ્રત બાવીસ તીર્થંકરના સાધુઓને નથી. તેમને પરિગ્રહમાં જ તેનો સમાવેશ કરવાથી ચાર મહાવ્રત છે. તથા વડી દીક્ષા નથી. આ અધિકાર કલ્પસૂત્ર વિગેરેથી જાણવો.)
अध्ययन ४
હવે બધા વ્રતોના સ્વીકાર કહેવા માટે કહે છે. પૂર્વે કહેલાં પાંચ મહાવ્રતો તથા છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત છે તે શા માટે છે ? ઉત્તર આત્માના હિત (મોક્ષ)ને માટે લઉં છું. આ વચન વડે એમ જણાવ્યું કે, બીજા કાર્ય માટે વ્રત લે, તો તે વ્રતોનો અભાવ થાય, કોઈ સ્વર્ગની બુદ્ધિથી વ્રત લે તો, અથવા રાજ્યાદિના અભિલાષથી લે, તો તેને નરેન્દ્રપણામાં આરંભની હિંસા વિગેરેની અનુમતિ રહેવાથી વ્રતમાં દોષ લાગે. (તેટલા માટે સાધુએ મોક્ષ માટે જ દીક્ષા લેવી). આ પાંચ મહાવ્રત, તથા રાત્રિ ભોજન વિરમણ વ્રત, આપની પાસે લઈને હું સારા સાધુઓના કાયદા પ્રમાણે વિહાર કરીશ. જો તે પ્રમાણે ન વર્તે તો લીધેલાં વ્રતો નકામાં થાય અહીંયાં વ્રત ન લેના૨ને જે દોષ છે, તે હિંસા વિગેરે પાપો કરનારાઓને નીચે પ્રમાણે દુઃખ થાય, તે બતાવે છે. હિંસા કરનારને અલ્પ આયુ હોય, જૂઠ બોલનારની જીભ કપાઈ જાય, ચોરી કરનારને દરિદ્રતા આવે, મૈથુન સેવનારને નપુંસકપણું આવે, પરિગ્રહ રાખનારને અનેક રીતે ચોરો વિગેરેનું દુ:ખ છે તે ગુરુએ કહેવાં. હવે ૧૪૭ ભાંગા પ્રત્યાખ્યાન સંબંધી છે. તે આ પ્રમાણે પચ્ચક્ખાણ કરે છે, તે કુશલ છે, બાકીના નકામા છે. હવે તેનો અવયવાર્થ કહે છે. ભાંગાની યોજના આ પ્રમાણે છે.
“तिन्नि तिया तिन्नि दुया तिन्निक्केक्का य होंति जोएसु । तिदुएक्कं तिदुएक्कं तिदुएक्कं चेव करणाङ्कं ।। १ ।।'
એનો ભાવાર્થ આ પ્રમાણે છે, ત્રણત્રિક લેવા, ત્રણદ્વિક લેવા, ત્રણ એક એક લેવા, તે કાયા, વચન, અને મનના વ્યાપારના લક્ષણવાળા છે, ત્રણદ્ધિકમાં મન વચન કાયા લેવાં. આ પદની ઘટના છે. ભાવાર્થ આ પ્રમાણે છે.
(૧) તત્ત્વાર્થ ૭/૨ ભાષ્ય-/૭/૧ ભાષ્ય સિદ્ધસેન ટીકા.
[ 87 ]