________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
णामं ठवणसरीरे गई णिकायत्थिकाय दविए य । माउगपज्जवसंगहभारे तह भावकाए य ।। २२८ ।।
'નામ, સ્થાપના, સુગમ છે. શરીર કાય તે શરીરજ છે. તેના પ્રાયોગ્ય અણુનો સમુદાય રૂપ પણુંહોવાથી ગતિકાય એટલે જે બીજા ભવની ગતિમાં જાય છે, તે તૈજસ કાર્મણ, લક્ષણરૂપ છે. પનિકાય કાય તે છ જીવ નિકાય છે. અસ્તિકાય તે ધર્માસ્તિકાય વિગેરે છે.
अध्ययन ४
દ્રવ્યકાય તે ત્રણ વિગેરે ઘટનો સમુદાય છે. માતૃકાકાય તે ત્રણ વિગેરે માતૃક અક્ષર છે, પર્યાયકાય બે પ્રકારે છે. જીવ અને અજીવ, ભેદ વડે છે. જીવ પર્યાયકાય તે જ્ઞાનાદિ સમુદાય છે. અને અજીવ પર્યાયકાય તે રૂપાદિ સમુદાય છે. ગ્રહકાય તે સંગ્રહ એક શબ્દ વાચ્ય ત્રિકટુક વિગેરે માફક છે. 'ભા૨કાય-તે કાપોતી છે એને માટે પૂર્વાચાર્ય કહે છે કે
काओ दुहा जाओ, एगो चिट्ठड़ एगो मारिओ । जीवंतो मएण मारिओ, तल्लव माणव केण हेउणा ? ।।
એક કાય તેના બે ભાગ થયા. એક જીવ છે, બીજો મરી ગયો. તેમાં મરેલાએ જીવતાને માર્યો. તેથી હે માનવ ! તું બોલ, એ કયા હેતુએ માર્યો ? તેની કથા કહે છે. એક કાપોતિક (કાવડીઓ) તળાવમાંથી બે બાજુ ઘડાં મૂકીને તળાવમાંથી કાવડથી પાણી ભરે છે. તેણે એક અપ્કાય બે ઘડાના વચમાં બે ભાગ કરીને જાય છે. તે વખતે કાવડીઓ જતા રસ્તામાં ઠોકર ખાતાં એક ઘડો ભાંગ્યો. તેની અંદર અપુકાય મરી ગયો અને બીજા ઘડામાં જીવે છે. તેના અભાવમાં તે પણ ભાંગ્યો. તેથી લોકમાં એમ કહેવાયું કે, પહેલાના મરેલાએ બીજાને માર્યો. અથવા એક ઘડો પાણીથી ભર્યો છે. તેના બે ભાગ કરીને અર્ધાને તપાવ્યો. મરી ગયો અને જે ન તપાવ્યો તેમાં જીવતા રહ્યા. તે જીવતાને તપાવેલા ભાગમાં મુ તેથી મરેલાએ જીવતાને માર્યા. ભારકાય સમાપ્ત. (આ દૃષ્ટાંતમાં પાછલો ભાગ ઠીક છે. કારણ કે અકાય તે પાણીના અસંખ્યાત જીવોનો સમૂહ છે. તે એક જીવ જુદો પડે નહિ, તેમ તેના બે ભાગ થાય નહિ. તેથી દૃષ્ટાંત પ્રમાણે ઘડો ભરેલો હોય અને અડધું પાણી તપાવ્યું હોય તો, તે જીવ રહિત થાય. અને તપેલામાં ન તપેલું નાંખે, તો તે પણ અજીવ થાય.) ભાવકાયમાં ઔયિકાદિ સમુદાય છે. અહીંયાં નિકાય તે કાયાના અર્થમાં જ છે. એમ જાણીને નિકાયને બદલે કાયના નિક્ષેપા કર્યા તેમાં દોષ નથી || ગાથાર્થ | ૨૨૮ ॥
इत्थं पुण अहिगारो निकायकाएण होइ सुत्तंमि । उच्चारिअत्थसदिसाण कित्तणं सेसगाणंपि ।। २२९ ।।
હવે સૂત્રનો યોગ (સૂત્ર એટલે અધિકૃત અધ્યયન) છે. તેમાં અધિકાર નિકાયકાય વડે છે. અધિકાર એટલે પ્રયોજન છે. શેષનિકાયનું બતાવવું વ્યર્થ છે. એવી શિષ્યને શંકા થાય તેથી આચાર્ય કહે છે. ભુચ્ચરિત અર્થ જેવો ઉચ્ચરિત નિકાય છે. એટલે તે અર્થની તુલનાવાળાંનું કહેવું, તે બીજાં નામાદિ નિકાયોનું પણ વ્યુત્પત્તિના હેતુપણાથી અને પ્રદેશ અંતરમાં ઉપયોગી હોવાથી કહ્યું છે. ॥ ગાથાર્થ ॥
(ઉચ્ચરિત અર્થ (પદાર્થ)ને સદ્દશ જે નામાદિ નિકાય છે તે પણ બીજે જરૂરી હોવાથી કહેવા જરૂરી છે આમાં સેસળ એ વિશેષણ છે અને ૩—ારિઅત્યવિસાળ એ વિશેષ્ય છે.
નિકાયપદ કહ્યું, નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તે ચર્ચા પૂર્વ માફક જ્યાં સુધી સૂત્ર અનુગમમાં અસ્ખલિત આદિ ગુણયુક્ત સૂત્ર બોલવું, ત્યાં સુધી છે તે આ પ્રમાણે છે || ૨૨૯ ||
[68]