________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
શા માટે ?
ઉત્તર-જીવ તેમાં આવીને ઉગે છે તે જ પૂર્વનો બીજ જીવ છે. જેણે બીજ એવું નામ તથા ગોત્ર એવાં બે કર્મ ભોગવીને મૂળ વિગેરે નામ ગોત્ર બાંધીને અથવા બીજો કોઈ પૃથ્વી કાયાદિક જીવ એ જ પ્રમાણે છે અને મૂળમાં જે જીવ છે તે જ મૂળપણે પરિણમે છે તે પણ પાંદડામાં પ્રથમપણે એટલે તે પહેલા પાંદડા તરીકે પરિણમે છે તેથી કરીને એજ જીવ મૂળનો તથા પહેલા પાંદડાનો કર્તા છે. પ્રશ્ન-જો એ પ્રમાણે હોય તો શાસ્ત્રમાં લખ્યું છે કે
“सव्वोऽवि किसलओ खलु उग्गममाणो अनंतओ भणिओ”
સર્વ કિશલય ઉગતાં અનંતકાય કહ્યો છે. તે વિરૂદ્ધ કેમ નહિ થાય ?
ઉત્તર-અહીંયાં બીજ જીવ પોતે કે અન્ય કોઈ જીવ બીજના મૂળપણે ઉત્પન્ન થઈને તેની ઉચ્છન્ અવસ્થા કરે છે, ત્યારપછી કિશલય અવસ્થા કરે તે સાથે નિયમથી અનંત જીવો ઉત્પન્ન કરે છે. ફરીથી તેમાં સ્થિતિ ક્ષય થવાથી બધા જીવો પરિણત થયા પછી આ એકલો મૂળે જીવ અનંત જીવોના શરીરને પોતાના શરીરપણે કરીને એટલો મોટો થાય છે કે જે પ્રથમ પત્ર ગણાય છે તેથી વિરોધ નથી. બીજા આચાર્ય કહે છે કે અહીંયાં પહેલું પાંદડું જે બીજની સમૂર્ચ્છન અવસ્થા નિયમ બતાવવા માટે છે અને શેષ કિશલય વિગેરે બધું મૂળ જીવે પરિણામે પ્રગટ કરેલું નથી એવું અવશ્ય જાણવું. તેથી પૂર્વે કહેલું સર્વ પણ સૂત્ર વિરુદ્ધ નથી. કારણ કે મૂળ પત્રના નિર્વર્તનના આરંભ કાળમાં કિશલયપણાનો અભાવ છે || ગાથાર્થ | એ જ વાત ભાષ્યકાર કહે છે ||
अध्ययन ४
विद्धत्थाविद्धत्था जोणी जीवाण होइ नायव्या । तत्थ अविद्धत्थाए वुक्कमई सो य अन्नो वा ।। ५८ ।। भा० ।। વિધ્વંસ્ત તથા અવિધ્વસ્ત એવી બે યોનિ જીવોની ન ઉગવાની અને ઉગવાની જાણવી. તેમાં અવિધ્વસ્ત યોનિમાં જે જીવ ઉત્પન્ન થાય તે અન્ય જીવ અથવા તે જ જીવ ઉગે છે. | ગાથાર્થ 11 42 11
जो पुण मूले जीवो सो निव्वत्तेइ जा पढमपत्तं । कंदाइ जाव बीयं सेसं अन्ने पकुव्वंति ।। ५९ ।। भा० ।।
જે મૂળમાં બીજનો અથવા જુદો જીવ વર્તે છે તે પહેલા પાંદડા સુધી એક જ જીવ છે. અહીં પણ પહેલાંની માફક ભાવાર્થ જાણવો. કંદ વિગેરે બીજ સુધી બાકીનું બીજા જીવોબનાવે છે તે વનસ્પતિ જીવો જ છે. વ્યાખ્યાના બંને પક્ષમાં આ અવિરુદ્ધ છે. એક બાજુ સંમૂર્ચ્છન અવસ્થાનું જ પ્રથમ પત્રપણે કહેલું છે. ત્યારપછી કંદ આદિ ભાવે અન્યત્ર કંદ આદિનું વનસ્પતિ ભેદપણું છે. તેનો પ્રથમ પત્ર ઉત્તરકાલજ ભાવ હોવાથી છે. ॥ ગાથર્થ ॥ ૫૯ ॥
હવે થોડામાં વિશેષ બતાવે છે.
सेसं सुत्तप्फासं काए काए अहक्कमं बूया । अज्झयणत्था पंच य पगरणपयवंजणविसुद्धा ।। ६० ।। भा० ।।
સૂત્રમાં સ્પર્શ કરનારૂં જે કહેલું લક્ષણ પૃથ્વીકાય વિગેરેમાં છે તે યથાક્રમે અનુયોગધર આચાર્ય બોલે ન કેવલ સૂત્ર સ્પર્શ જ લક્ષણ કહે પણ અધ્યયનના અર્થોને પૂર્વે કહેલા પાંચ જીવાજીવનું અભિગમ વિગેરેને 'પ્રક૨ણ, પદ, વ્યંજન, વિશુદ્ધ એવા અર્થોને બોલે સૂત્રજ જીવોનું અભિગમ (સમજ) દરેક
[75]