________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
संसाराओ आलोयणाउ, तह पच्चिभिन्नभावाओ । खणभंगविघायत्थं, भणि तेलोक्कदंसीहिं ।। ४३ ।। भा. ।।
સંસાર એટલે સંસરણ થવું. તેમાં નારકપણે તે જ જીવ નારક ગણાય. અને તિર્યકપણે તિર્યક. એમ જીવ નિત્ય છે. તથા હું કરું છું. મેં કર્યું. ભવિષ્યમાં કરીશ. એ ત્રિકાળ વિષય સંબંધી જે આલોચના (વિચારણા) છે, તેથી આત્મા નિત્ય છે, તથા પ્રત્યભિજ્ઞા (ઓળખાણ) ના ભાવથી વિદ્વાનથી લઈને મંદ બુદ્ધિવાળી સ્ત્રી સુધી દરેકને જાણીતું છે કે, પહેલા જેને જોયો હોય, તેને પછી મળતાં ઓળખી લે છે. તે ઓળખનારો પહેલાં અને પછી એક જ હોવાથી નિત્ય છે. તે અભેદગ્રાહી નિત્ય કહેવાય છે. આ બધું કહેવાનું ફળ કહે છે. કે પૂર્વે બૌદ્ધોનો ક્ષણભંગુર મત ખંડન કરેલો, તે આ પ્રમાણે છે. આ તીર્થકર જેઓ ત્રિલોકદર્શી છે. તેમનો આ કહેલો મત છે. એથી પૂર્વે કહેલું તે જ પરમાર્થ નથી પણ આત્માને નિત્ય સિદ્ધ કરવા સાથે બૌદ્ધનું ખંડન પણ કર્યું. તે ગાથાર્થ છે૪૩ |
તેજ બતાવે છે. लोगे वेए समए निच्चो, जीवो विभासओ अम्हं । इहरा संसाराई, सव्वंपि न जुज्जए तस्स ।। ४४ ।। भा. ....
“નૈને છિન્દ્રન્તિ શસ્ત્રા” ત્યાદિ ગીતામાં લખેલું તે વચન છે. એટલે તે લોકમાં પ્રસિદ્ધ છે. કે જીવને શસ્ત્રો છેદતાં નથી. વિગેરે વચન પ્રમાણે છે. તેથી વેદમાં લખ્યું છે કે, “સUષ સયોડનું ઇત્યાદિ તે જીવ અક્ષય, અને અજ, છે. એ શ્રુતિનું પ્રમાણ છે. તેથી. તથા સમયમાં “ન પ્રતિર્ન વિકૃતિ: પુરુષ” ઇતિ વચનનું પ્રમાણ છે કે, પુરુષને પ્રકૃતિ પણ નથી, તેમ વિકૃતિ (વિકાર) પણ નથી. એથી જીવ નિત્ય થયો. તે અપ્રશ્રુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો છે. આ એકાન્ત નિત્ય જ છે. જૈન મત પ્રમાણે તે વચન ન્યાય વિરૂદ્ધ છે, કારણ કે જો તેમ માનીએ, તો સંસારમાં ચાર ગતિમાં જીવનું ભ્રમણ થાય છે. તેનો ઉચ્છેદ થઈ જાય. તેથી આગળ કહેશે કે, અમારી વિભાષા (વ્યાખ્યા) પ્રમાણે વિકલ્પ વડે એટલે ભજનાથી ચાતું નિત્ય (કોઈ અંશે નિત્ય) વિગેરે રૂપથી એટલે દ્રવ્યાર્થના આદેશથી જીવ નિત્ય છે અને પર્યાય અર્થના આદેશથી જીવ અનિત્ય છે. (દરેક ગતિમાં જીવપણું કાયમ છે. તે દ્રવ્ય છે અને દરેક ગતિમાં જુદું શરીર મળે, તે પર્યાય કહેવાય છે) એટલે જીવને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય ન માનીએ, તો સંસાર આલોચના (આ સંસારમાં જીવને ભ્રમણ છે તે વિચાર વિગેરે સર્વ ન જ યોજાયો કારણ કે તે આત્માને બીજા સ્વભાવની આપત્તિ વિના એક સ્વભાવ રહેવાથી આ વર્તમાન સંબંધી ભાવ વિના બીજો ભાવ ન થાય (અર્થાત્ આત્મા નિત્યાનિત્ય છે.) તે જ પ્રમાણે જીવનું અમૂર્તપણું તથા અન્યત્વપણું છે. તેની વિભાષા પણ સમજવી એટલે તે બંનેમાં પણ મૂર્ત અને અમૂર્ત સમજવાં. કર્મની અપેક્ષાએ મૂર્ત અને શુદ્ધાત્માની અપેક્ષાએ અમૂર્ત છે. અન્યત્વ એટલે મોક્ષમાં ગયા પછી જીવ સર્વથા પુદ્ગલથી જુદો અને સંસારમાં છે, ત્યાં સુધી કોઈ અંશે પુદ્ગલથી એકમેકપણે છે. જો આ ન માનીએ તો વ્યવહારનો અભાવ થઈ જાય. કારણ કે એકાંત અમૂર્ત અથવા એકાંત શરીરથી ભિન્ન માનીએ તો અતિપાત (મરણ, હિંસા) વિગેરે અસંભવ થાય. અહીં બહુ કહેવાનું છે, પણ વિસ્તાર થઈ જાય માટે કહેતા નથી. અહીં તો સૂત્રની ગાથાના અક્ષરોનો જ માત્ર અર્થ કરવો છે. | ગાથાર્થ || ૪૪ ||
એ પ્રમાણે અન્યત્વ વિગેરે ત્રણ દ્વારનું વ્યાખ્યાન કરીને અધિકારવાળી ભાષ્યની ગાથાને કહે છે.
[61]