________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ તેષી નથી હું નિપાત અસ્થાને વપરાયો છે તેને પણ સ્થાનને બતાવશું, સસુરાદિક લોકમાં પ્રસિદ્ધ છે. જેમનામાં ધર્મ રુચિ નથી તે અધર્મ રુચિ તથા ધર્મ રૂચિને પણ મંગળ બુદ્ધિએ નામ મંગળ બુદ્ધિ વડેજ તથા લોક નમે છે. આ બન્નેનો વિપક્ષ તે પહેલા બે પ્રત્યેકના તથા શુદ્ધિ તેનો વિપક્ષ સાધ્ય વસ્તુનો વિપર્યય તે વિપક્ષ જાણવો. એટલે લોકમાં અધર્મ રુચિઓને પણ મંગળ બુદ્ધિ વડે લોકો નમે છે. આ પ્રતિજ્ઞાનો વિપક્ષ છે. તેઓનો અધર્મ જુદો પડતો નથી. જિન વચનના દ્વેષી તેના વડે તેની શુદ્ધિ તેમાં પણ હેતુ પ્રયોગની વૃત્તિ વડે ધર્મ સિદ્ધિ છે. (આ ગાથાનો પરમાર્થ એ છે કે જે લોકો અજ્ઞાની છે તેઓ જૈન ધર્મના દ્રષી હિંસક ગુરુઓને પણ મંગળ બુદ્ધિએ નમે છે અને જૈન ધર્મનો દ્વેષ નથી પણજેઓ સંસારી રહિને હિંસા કરે છે, તેમને ગૃહસ્થીઓ વડીલમાની (સસરાદિને) મંગળ બુદ્ધિવડે નમે છે. આ અહીં ખરેખરૂં મંગળ નથી તે ભેદ પાડે છે. છે ૧૪૦
बिइयदुयस्स विवक्खो सुरेहिं पूज्जति जण्णजाईवि । बुद्धाईवि सुरणया बुच्चन्ते णायपडिवक्खो १४१॥
ટીકાનો અર્થ- બન્નેનું પૂરણ તે દ્વિતીય કય એટલે હેતુ અને તેની શુદ્ધિ, તે પૂર્વે કહેલા બેની અપેક્ષાએ બીજુ કહેવાય. તેનો આ વિપક્ષ છે. અહીં યજ્ઞ કરનારાઓ દેવો વડે પણ પૂજાય છે એવી ભાવના છે યજ્ઞ કરનારા મંગળ રૂપ નથી, જોકે તેઓ દેવોથી પૂજાય છે તેમનું દેવોથી પૂજાવું તે અકારણ છે. આ હેતુનો વિપક્ષ છે. તે પ્રમાણે ઈદ્રિયોને નહિ જીતેલ તથા ક્રોધ વિગેરેથી ભરપૂર તેઓ વર્તે છે. આ ગ્રંથ વડેજ ધર્મ સ્થાનમાં સ્થિત જે આપણે પૂર્વે સાધુ કહી ગયા તે હેતુ વિભકિતથી ઉલટો વિપક્ષ જાણવો. હવે ઉદાહરણ વિપક્ષ કહે છે. બુદ્ધ તથા આદિ શબ્દથી કપિલ વિગેરે દેવોથી પૂજાયેલા કહેવાય છે. એટલે કે દેવો તેમની આજ્ઞા માને છે. આ દૃષ્ટાંતનું પ્રતિપક્ષ જાણવું. વાદીની શંકા-વૃષ્ટાંત પછી કહીશું એવું તમે કહ્યું ત્યાંજ વિપક્ષ કહેવો હતો અને ત્યાંજ તેનો પ્રતિષેધ કરવો યકત હતો. અહીં વિપક્ષનો પ્રતિષેધ શા માટે કહેવાય છે? ઉત્તર- 'વિપક્ષનું સમાનપણું હોવાથીજ કહેવાય છે. અને વિપક્ષ દ્વાર ટુંકામાં કહેવાય છે. બીજી રીતે આ જુદું દ્વાર પણ થાય. તેજ પ્રમાણે પ્રતિષેધ પણ બીજા દ્વારમાં કહેવાય તે પ્રમાણે કરતાં ગ્રંથ વધી જાય છે. તેથી અહીં કહીએ તો ખોટું નથી, વાદીની શંકા-કૃષ્ટાંત આશંકા તથા તેનો નિષેધ એ વચનથી આગળ દૃષ્ટાંત કહીને વળી આશંકા તથા પ્રતિષેધ કહેશે તેથી તે આ શંકા અને તેનો વિપક્ષ છેજ ત્યારે શા માટે ફરીથી વિપક્ષ પ્રતિષેધ કહો છો? ઉત્તર- સાથે સાથે હોવાથી પરંપરાના ભેદ વડે દૃષ્ટાંતનું બે પણું બતાવવા માટે છે જે સાથે સાથે કહેવાનો છતાં પરોક્ષપણાથી સિદ્ધાંત દ્વારા જાણવાથી તૃષ્ટાંત ઉપરથી લેવાની શીખામણનો અર્થ સાધવામાં સમર્થ નથી તેની પ્રસિદ્ધિ માટે હમણાંજ નજર આગળ સિદ્ધ કરેલો છે જે અન્ય કહીશું તે પરંપરા દ્રષ્ટાંત છે. તે પ્રમાણે તીર્થકર તથા સાધુઓ બન્નેને ભિન્જ આગળ આગળ દૃષ્ટાંતોથી કહીશું. તેમાં તીર્થકરનું લક્ષણ દૃષ્ટાંતને સ્વીકારી અહીં વિપક્ષ તથા પ્રતિષેધ કહ્યાં અને સાધુને આશ્રયી ત્યાંજ આ શંકા તથા પ્રતિષેધ બતાવીશું તેમાં દોષ નથી. વાદી–'ભલે એમ હો કે પહેલા કહેલી વિધિએ થોડામાં લાવવા માટે ન કહેલું દ્રષ્ટાંત જ કહેવું સારું છે. પણ અહીંજ દ્રષ્ટાંત વિપક્ષ તથા તેનો પ્રતિષેધ છે, તેજ દ્રષ્ટાંતને આગળ કહેશો કે જે વડે હેતુ વિભકિતને જોડા જોડ અહીં નથી કહેતા? તેજ પ્રમાણે અહીં દ્રષ્ટાંત કહેતાં પ્રતિજ્ઞા વિગેરેની પેઠે બને રૂપનું પણ અરિહંત તથા સાધુ લક્ષણનું દ્રષ્ટાંત એવા બેજ વિપક્ષ તથા પ્રતિષેધ ઉત્પન્ન થાય છે. તેથી સાધુ લક્ષણના દૃષ્ટાંતની આ શંકા તથા પ્રતિષેધ આગળ જુદા ન કહેવા. પડત, તેથી તેમ કરતાં ટુંકાણમાં થાત તથા પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ રૂપ વિશુ સહિત ત્રણે અવયવો ક્રમસર કહેલા થાય, આચાર્યનો ઉત્તર-'અહી દૃષ્ટાંતની માફક પ્રતિજ્ઞા વિગેરે દરેકની આ શંકા તથા પ્રતિષેધ કરવાના છે. તે પ્રમાણે કરીએ તો ઘણા અવયવ થાય. અથવા દ્રષ્ટાંતની પ્રતિજ્ઞા
૦૯