________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
'पणिहाणजोगजुत्तो, पंचहिं समिईहिं तिहि य गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ।। १८५ ।।
પ્રણિધાન તે ચિત્ત શાંતિ તે જેમાં પ્રધાન છે, એવો યોગ (વ્યાપાર) તે પ્રણિધાન યોગયુક્ત આ સામાન્ય રીતે અવિરત સમ્યગ્ યોગ દૃષ્ટિવાળો ગૃહસ્થ પણ હોય, તેથી વિશેષ કહે છે. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી જે પ્રણિધાન યોગ યુક્ત આવાજ યોગવાળો જે હોય, તે જ યોગવાળો કહેવાય અથવા પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ આ વિષયમાં જે આઠને આશ્રયીને પ્રણિધાનયુક્ત આ ચારિત્રાચાર છે, તે આચાર અને આચારવાળાની કોઈ અંશે સાથે રહેવાથી આઠ પ્રકારનો જાણવો. સમિતિ ગુપ્તિમાં કંઈક ભેદ છે, તેને આશ્રયી છે. સમિતિ ગુપ્તિનું રૂપ શુભ પ્રવિચાર, અપ્રવિચાર જેમ પ્રતિક્રમણમાં છે, તે પ્રમાણે જાણવું. (સમિતિ તેમાં શુભ યોગમાં પ્રવર્તન રૂપ છે. ગુપ્તિમાં અશુભ કે શુભ બન્નેમાં પ્રર્વત્તન રોકે, તે ગુપ્તિ છે. જેમ કે વિચારીને બોલે તે ભાષા સમિતિ છે. પણ ન બોલે, ન ચેષ્ટા કરે, મનઃ સ્થિર રાખે, તે વચનગુપ્તિ કહેવાય છે.) ચારિત્રાચાર કહ્યા પછી તપાચાર કહે છે. || ૧૮૫ ॥
अध्ययन ३
'વારસવિતૃશ્મિ વિ તવે, સમંતરવાહિને સર્જકે । ગિનાદ્ ગળાનીવી, નાયબો સો તવાયારો || ૮૬ ||
બાર પ્રકારના અત્યંતર તથા બાહ્ય તપનું વર્ણન પહેલા અધ્યયન માં. ગા. નં. ૪૬૪૭માં કરેલું તે બાહ્યમાં પ્રથમ અનશનથી માંડીને અત્યંતરમાં પ્રાયશ્ચિત્ત વિગેરે છે, તે કુશળ દૃષ્ટ તે તીર્થંકરે બતાવેલા તપમાં ગ્લાની રહિત, રાજવેઠ માફક ન ગણતાં, યથાશક્તિ એ સ્પૃહા રહિત મોક્ષફળ માટે સમજીને તે જાણો. તપાચાર છે. એટલે આચાર, અને આચારવાળો, એ બેનું કંઈક અંશે એકપણું બતાવ્યું ગાંથાર્થ. ૧૮૬ ॥
अणिगूहियबलवीरियो, परक्कमइ जो जुहुत्तमाउत्तो । जूंजइ अ जहाथामं, नायव्वो वीरियायारो ।। १८७ ।।
તપાચાર પછી વીર્યાચાર કહે છે. બળ, અને વીર્ય, બાહ્ય આત્યંતર છે. તેને છૂપાવ્યા વિના યથોક્ત ૩૬ લક્ષણવાળા તે જ્ઞાન દર્શન ચારિત્રના ૨૪ તથા તપના બાર મળીને ૩૬ ભેદ થયા. તે ભેદવાળા આચારને ઉપયુક્ત (આદરવામાં એક ચિત્તવાળો) થાય. પરાક્રમ કરે. એટલે ગ્રહણકાલમાં ઉઘુક્ત રહે, પછી તેમાં પોતાનું જેટલું શરીરબળ, મનબળ હોય, તેટલું ઉપયોગમાં લઈ છત્રીશ પ્રકારના આચાર પાળે. પણ સામર્થ્ય પ્રમાણે તપ કરે, (હદ બહાર પણ નહી, તેમ પ્રમાદ પણ નહીં.) આ વીર્યાચાર છે. તે પણ આચાર (ગુણ) આચારવાન (ગુણી) બન્નેને કંઈક અંશે એકપણું છે. આ પ્રમાણે વીર્યાચાર કહ્યો અને તે કહેવાથી પાંચે પ્રકારના આચારનું વર્ણન થયું. હવે કથાનું સ્વરૂપ બતાવે છે.
|| ૧૮૭ ||
अत्थकहा कामकहा, धम्मकहा चेव मीसिया य कहा एत्तो एक्केक्कावि य, णेगविहा होइ नायब्बा ।। १८८ ।। સંસારિક વિદ્યા ભણવી તેનું પ્રધાનપણું જેમાં હોય તે અર્થકથા, સંસાર વધે તે કામ કથા, તથા ધર્મ વધે તે ધર્મ કથા, તેમ જ એકેકથી યુક્ત તે મિશ્ર કથા છે, અને એથી જ આ એકેક કથા પણ અનેક પ્રકારની છે ॥ ગાથાર્થ ૧૮૮ || હવે કથાનું વિવેચન કહે છે.
૧. તુલના કરો. ઉત્તરા. ૪. ૨૪ થી ૨૫, ૨૯/૫૫-૫૬
આ. નિ. ૪-૮
(૨) સ્થાનાંગ - ૬, સૂ ૬૫
[28]