________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
विज्जासिप्पमुवाओ, अणिवेओ संचओ य दक्खत्तं । सामं दंडो भेओ, उवप्पयाणं च अत्थकहा ।। १८९ ।। सत्थाहसुओ दक्खत्तणेण, सेट्ठीसुओ य रूवेणं । बुद्धिए अमच्चसुओ, जीवइ पुन्नेहिं रायसुओ ।। १९० ।।
વિદ્યા શિલ્પ ઉપાય "અનિર્વેદ, પસંચય, દક્ષપણું, શામ, દંડ, ભેદ, ઉપપ્રદાન, આ દશ પ્રકારની અર્થ કથા જાણવી કારણ કે તેમાં પૈસા પેદા કરવા માટે જ પ્રધાનપણું છે. આ ગાથાર્થ છે, ભાવાર્થ વૃદ્ધના વિવરણથી જાણવો, તે આ પ્રમાણે.
- વિદ્યાને આશ્રયી અર્થ કથા, તે વિદ્યા ભણી પૈસા પેદા કરે, જેમ કે કોઈએ વિદ્યા સાધી, તે તેને પ્રભાતે પાંચ (રૂપિયા) આપે છે. અથવા સત્યકી વિદ્યાધર, ચક્રવર્તીને વિદ્યાના પ્રભાવથી ભોગો મળ્યા. તે સત્યકીની ઉત્પત્તિ, તથા શ્રાદ્ધ કુળમાં રહ્યો, તથા મહેશ્વર નામ થયું, એ બધું આવશ્યક સૂત્રમાં તથા યોગ સંગ્રહમાં છે, તે અહીં કહેવું - વિદ્યાનું કહ્યા પછી હવે શિલ્પનું કહે છે. શિલ્પ (હુર) શીખી ધન મેળવે. એનું ઉદાહરણ-કોકાશ નામના કારીગરે ધન મેળવ્યું તે આવશ્યક સૂત્રમાં છે, તેમ જાણવું. ઉપાય કથા, ચાણક્યની કથા, તેણે અનેક ઉપાયો કરી ધન મેળવ્યું. કેવી રીતે ?
ઉત્તર-બે મારી પાસે ધાતરક્ત છે. વિગેરે આવશ્યથી દષ્ટાંત જાણવું. હવે નિર્વેદ રહિત ઉદ્યમ કરવો તેમાં મમ્મણ શેઠનું પણ દૃષ્ટાંત આવશ્યક સૂત્રથી જાણવું. હવે દક્ષત્વ તે પ્રસંગ સહિત કહે છે. || ૧૮૯, ૧૯૦ ||
दक्खत्तणयं पुरिसस्स, पंचगं सइगमाहु सुंदरं । बुद्धी पुण साहस्सा, सयसाहस्साइं पुन्नाई ।। १९१ ।।
દક્ષપણાથી સાર્થવાહના પુત્રને ૫, શેઠના પુત્રને સુંદરતાથી ૧૦૦, મંત્રીપુત્રને બુદ્ધિથી ૧૦૦૦ અને રાજપુત્રને પુણ્યથી એક લાખ મળ્યા. આ ગાથાનો અર્થ છે. ભાવાર્થ કથાથી જાણવો, તે આ પ્રમાણે છે.
જ્યારે બ્રહ્મદત્ત કુમાર, મંત્રી પુત્ર, શેઠીયાનો પુત્ર, તથા સાર્થવાહનો પુત્ર, આ ચારે જણાને માંહોમાંહે (અંદરોઅંદર) વાદ થયો કે, આપણામાં કોણ, કોનાથી જીવે છે. ત્યારે રાજપુત્રે કહ્યું હું પુણ્યથી જીવું છું. મંત્રીપુત્ર બોલ્યો, હું બુદ્ધિથી, શ્રેષ્ઠીપુત્રે કહ્યું, હું સુંદરતાથી, સાર્થવાહનો પુત્ર બોલ્યો, હું ચતુરાઈથી. તે બધાએ બોલ્યા, આપણે બીજે સ્થળે જઈ પરીક્ષા કરીએ. પછી જેમાં કોઈ ન જાણે તેવા નગરમાં ગયા. ઉદ્યાનમાં રહ્યા. પછી દક્ષને કહ્યું, શિધ્ર (જલ્દી) ભોજન લાવ. તે શહેરના એક મહોલામાં વૃદ્ધ વાણીઆની દુકાને ઊભો રહ્યો, ત્યાં ઘણા ખરીદનારા આવ્યા. તે દિવસે કંઈ ઓચ્છવ છે, તેથી તે વાણીઓ પડીઓ બાંધવા અસમર્થ હતો, તેથી સાર્થવાહના પુત્રે દક્ષપણાથી જેને જે જોઈએ તે મીઠું, તેલ, ઘી, ગોળ, સુંઠ, મરચાં વિગેરે દરેકને આપ્યાં, તેથી વાણીઆને ઘણો લાભ થયો. તેથી તે પ્રસન્ન થઈ બોલ્યો કે, આપ અહીં રહેનાર છો કે પરદેશી મુસાફર છો ? તેણે કહ્યું, પરદેશી મુસાફર. વાણીઆએ કહ્યું, તો અમારે ઘેર જમવા ચાલો. પેલાએ કહ્યું, મારા સહાયકો ઉદ્યાનમાં બેઠા છે. તેના વિના હું ખાતો નથી. વણીકે કહ્યું કે બધાઓને લઈ આવો. તેથી બધાને બોલાવ્યા. તેઓ આવ્યા. ત્યારે વાણીઆએ ભોજન, સમારંભ (સત્કાર) તથા પાન સોપારી વિગેરે આપીને પાંચ રૂપૈયા આપ્યા. બીજે દિવસે વાણીઆ (શેઠ)ના પુત્રને કહ્યું, આજે તમારે ભોજન અપાવવું. પેલાએ હા કહી. તેથી તે ઊઠીને ગણિકાના મહોલ્લામાં સુંદર રૂપ કરીને ગયો. ત્યાં દેવદત્તા નામની ગણિકા, પુરુષની
[29]