________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
થાય તેમ બતાવવાં આ અનુગમ કહ્યો. હવે ચોથો અનુયોગ નય છે તે કહે છે.? (૧) નેગમ. (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ૠજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત, એ સાત ભેદવાળા સામાન્ય રીતે સાત નય છે. એનું વર્ણન આવશ્યક સામાયિક અધ્યયનમાં ખુલ્લું કહેલ છે. તેથી અહીં ટુંકાણમાં ફક્ત જ્ઞાન, ક્રિયા, નય એવા બે ભેદ પાડીને કહે છે. એટલે જ્ઞાન નય અને ક્રિયા નય તેમાં પહેલો જ્ઞાન નય કહે છે. જ્ઞાન વાદી કહે છે કે જ્ઞાન જ આ લોક અને પરલોકના ફળનું કારણ યુક્તિએ કરીને યોગ્ય છે. તે પોતે બતાવે છે. ૫ ૧૪૮૫
णायंमि गिहियव्वे अगिहियव्वंमि । चेव अत्यंमि जइयव्वमेव इइ जो उवएसो सो नओ नामं (१४९ ।
ટીકાનો અર્થ- સારી રીતે જાણ્યા પછી એટલે આ સ્વીકારવું, આ છોડવું એ બન્નેનું ભેગું રહેલું ઉપેક્ષણીયપણ સાથે જણાય છે. આમાં એમ સમજવું કે જાણ્યા પછી જ આ લેવું કે ન લેવું કે ઉપેક્ષા કરવી તે જાણીતામાં થાય, પણ અણજાણ્યામાં કેવી રીતે થાય ? આ લોકમાં લેવાયોગ્ય ફૂલની માળા, ચંદન, સ્ત્રી વિગેરે છે અને ન લેવા યોગ્ય ઝેર, શસ્ત્રનો ઘા, કાંટા વિગેરે; અને ઉપેક્ષા કરવા યોગ્ય ઘાસ, ધૂળ વિગેરે. અને પરલોક સંબંધી સમ્યગ્દર્શન વિગેરે લેવા યોગ્ય છે. તથા મિથ્યાત્વ વિગેરે ત્યજવા યોગ્ય છે. અને વિવક્ષાવડે અભ્યુદય વિગેરે ઉપેક્ષા કરવા યોગ્ય છે આ અર્થમાં યત્ન કરવો. એટલે આ અનુક્રમે આ લોક પરલોકના ફળ ઇચ્છુક જીવે યત્ન કરવો. તે અજાણ્યામાં વર્તતાં ફળ સિદ્ધિ થતી નથી. એજ પ્રમાણે બીજાઓ પણ કહે છે કે
विज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात्प्रवृत्तस्य फलप्राप्तेरसंभवात् ॥ १
જ્ઞાન તેજ પુરૂષોને ફલ દેનાર છે, પણ ક્રિયા ફલવાળી નથી. મિથ્યા અને અજ્ઞાનથી પ્રવર્તેલાને ફળ પ્રાપ્તિનો અસંભવ છે તેથી પરલોકના ફળ ઇચ્છનારે જાણીતામાંજ પ્રવર્તન કરવું. જૈન સિદ્ધાંત પણ
તેમજ કહે છે.
पढमं नाणं तओ दया, एवं चिट्टइ सब्बसंजए । अन्नाणी किं काही ? किंवा णाहिति छेयपावगं ? ॥१॥
પહેલું જ્ઞાન અને પછી દયા. આ બધા સાધુઓ આશ્રયીછે. બીચારો અજ્ઞાની શું કરશે ? અથવા પુણ્ય પાપને કેવી રીતે જાણશે ? વિગેરે છે અને તેથી જ એમ સ્વીકારવું કે જ્ઞાન એ મુખ્ય છે. જે જ્ઞાન વડે તીર્થંકર ગણધરોએ ફક્ત અગીતાર્થના વિહારાદિક ક્રિયાનો પણ નિષેધ કર્યો છે. આગમ કહે છે કે—
गीयत्थो य विहारो बीओ गीयत्थमीसिओ चेव । इत्तो तइयविहारो णाणुन्नाओ जिणवरेहिं ॥
ગીતાર્થનો વિહાર હોય અથવા ગીતાર્થ સાથે વિહાર હોય તે સિવાયત્રીજો વિહાર જિનેશ્વરે કહ્યો નથી. એમ અભિપ્રાય છે કે આંધળા પાછળ આંધળો જાય તો સીધે રસ્તે ન જાય તેમ પ્રથમ ક્ષય ઉપશમિક જ્ઞાન બતાવ્યું. ક્ષાયિકને આશ્રયીને પણ તેનુંજ વિશિષ્ટ ફલ સાધનપણું જાણવું. વળી જિનેશ્વર પોતે પણ સંસાર સમુદ્રને કિનારે આવ્યા છતાં દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ તપચરણ કરે તો પણ જ્યાં સુધી જીવ અજીવનું સંપૂર્ણ વસ્તુનું સ્વરૂપ બતાવનાર કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ નથી. માટે આ લોક પરલોકમાં જ્ઞાનજ ફલનું કારણ છે. આ જે ઉપદેશ અપાય તે નય જાણવો. આ ન્યાય વડે જ્ઞાનનું પ્રધાનપણું બતાવી જ્ઞાનવાદી જ્ઞાનનય સિદ્ધ કરે છે. આ જ્ઞાન વચન ક્રિયા રૂપે આ અધ્યયનમાં જ્ઞાન રૂપ તેજ લેવું આ ઈચ્છે છે કે આનું જ્ઞાન સ્વરૂપજ છે તેથી અને વચન ક્રિયા તો તેના કાર્ય પણે તેને આધીન હોવાથી તે ઇચ્છતો નથી. ગુણ ભૂતમાં તે ઈચ્છે છે. આ જ્ઞાન વાદી ક્રિયાને સાધારણ માનીને તે ઉડાવવા ઇચ્છે છે. હવે
૮૨