________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
જેનો પતિ સાધુ થયો, તે જીવે છે કે નહીં ? જો જીવતી હોય તો, સાધુવેશ મૂકી દઉં, નહિ તો નહિ મૂકું. સ્ત્રીને વૈરાગ્ય ૨મેલો હોવાથી વિચાર્યું કે, જો તે દીક્ષા મુકશે, તો બન્ને જણાં સંસારમાં ભમીશું. તેથી તે બોલી કે તે તો બીજા સાથે ગઈ. ત્યારે સાધુએ વિચાર્યું કે, ભગવંતે તથા સાધુએ કહેલ છે, તે સત્ય જ છે. કે હું તેનો નથી, તે મારી નથી, એમ ૫૨મ સંવેગને પ્રાપ્ત થયો. અને બોલ્યો કે પાછો ફરૂં છું. પછી સ્ત્રીએ વૈરાગ્યમાં પતિત જાણીને શીખામણ આપી કે -
अणिच्च जीवियं काम भोगा इत्तरिया
^જીવિત અનિત્ય છે. અને કામ ભોગ ઇત્વર (નાશ થનારા) છે. એ પ્રમાણે સ્ત્રીએ તેને કેવળીએ કહેલો જૈન ધર્મ કહ્યો. ત્યારે પુરુષનું મન બરોબર સ્થિર થયું. તેમ સ્ત્રીએ ખરૂં સ્વરૂપ પણ કહ્યું. તેથી તે સાધુ આચાર્ય પાસે ફરીથી જઈને સ્થિર થયો. તેવી રીતે બીજા સાધુએ પણ તેવે વખતે આત્માને સ્થિર રાખવો. ॥ સૂત્રાર્થ ૪ ||
.
એ પ્રમાણે અંદરનો મન મારવાનો વિધિ કહ્યો. પણ તે બાહ્યવિધિ કર્યા વિના મોહ ત્યાગવો શક્ય નથી. માટે તેનું વિધાન બતાવે છે.
A
A
૧.
आयावयाहि चय सोगु (ग) मल्लं, कामे कमाही कमियं खु दुक्खं ।
छिंदाहि दोसं विणएज्ज रागं, एवं सुही होहिसि संपराए ।। ५ ।।
ત્યજ,
'સંયમ ઘરમાંથી મન ન નીકળે, માટે ગુરુ કહે છે. હે શિષ્ય ! તું આતાપના ક૨, એક વાતથી તેની જાતના બીજા પણ લેવાય, તે પ્રમાણે લેતાં કહેવાય છે કે, બાહ્ય તપ અનશન, ઉણોદરી વિગેરે કર અને પૂર્વના પદ વડે, તથા શરીરથી ઉત્પન્ન થતા દોષ દૂર કરવા કહ્યું છે. વળી સુકુમારપણું એ વચન વડે, તથા સ્ત્રી પુરૂષ બન્ને વડે, થતા દોષનો પરિહાર કર્યો. કારણ કે સુકુમારતાથી પોતાને કામ ઇચ્છા થાય છે. અને તેનું સુંદર રૂપ દેખીને સ્ત્રીઓ પ્રાર્થના કરે છે. એ પ્રમાણે ઉપરના બે ઉપાય વડે પૂર્વે કહેલા કામ (દુષ્ટ ઇચ્છા) ને દૂર કર. કારણ કે તેને, ઉલ્લંઘવાથી ઉલ્લંઘવા જેટલું જ દુ:ખ પડશે. કારણ કે કામનું દુ:ખ સાથે જોડાણ છે. (ખુ શબ્દ નિશ્ચય માટે છે.) હવે અંતર કામ ઉલ્લંઘવાની વિધિ કહે છે. સમ્યગજ્ઞાનના બલ વડે પરિણામે કડવાં દુઃખ ભોગવવાં પડશે. તે વિચારવા Đવડે તું દ્વેષને છેદ, રાગ કાઢ, ક્યાં રાગ દ્વેષ ન કરવો ? કામમાં એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયો તેજ કામ છે. એમ રાગદ્વેષ ત્યજવાથી શું લાભ ? તેથી તને સુખ પ્રાપ્ત થશે. ક્યાં ? સંસારમાં. એટલે એમ સમજવું કે જ્યાં સુધી તને મોક્ષ નહીં મળે, ત્યાં સુધી સંસારમાં પણ સમાધિથી સુખે રહી શકીશ. સં૫રાયનો સંસાર અર્થ ન લેતાં બીજા આચાર્ય ‘પરીષહ ઉપસર્ગની સાથે સંગ્રામ' અર્થ કરે છે. આ પ્રસંગે દૃષ્ટાંત સાથે ઉપદેશ કર્યો. ॥ સૂત્રાર્થ ૫ ॥
વળી સંયમ ઘરમાંથી મન ન નીકળે, માટે ચિંતવે -
अध्ययन २
મોહત્યાગાષ્ટકમ્ માં. (તુલના કરો)
તુલના કરો - ભગવત ગીતા અ. ૨ શ્લો. ૭૦ ગ્લો. ૫૫/૬૫. સ્થાનાંગ - ૪/૪/૫૮૧
[16]