________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ હેતુ અહિંસાદિ પરમાર્થિક હોય તે, નહિ કે બનાવટી ‘આદિ' શબ્દથી મૃષાવાદ વિગેરે થી વિરતી જાણવી અન્ય આચાર્ય બીજી રીતે કહે છે કે સદ્ભાવિકનો અર્થ સદ્ભાવ વડે નિરૂપચરિત સાચું) સકલ દુઃખ ક્ષયને માટેજ યત્ન કરે છે. હવે પ્રતિજ્ઞા શુદ્ધિ કહે છે. I૯૨/
जह जिणसासणनिरया, धम्म पालेति साहवो सुद्धं, न कुतित्थिएसु एवं, दीसइ परिवालणोवाओ ॥३॥
ટીકાનો અર્થ- જે રીતે જિનશાસનમાં રકતજન નિશ્ચય વડે ધર્મમાં રકત થઈને ધર્મ પાળે છે તે સાધુઓ ષજીવનિકાયના પરિજ્ઞાનથી કરવું, કરાવવું અને અનુમોદવું એવી પાપ ત્યાગની પ્રતિજ્ઞાવડે અકલંક પાળે છે તે પ્રમાણે બીજા કતીર્થીઓ પાળતા નથી. એટલે જેવો સાધુનો આચારછે તેવો બીજામાં નથી. ઉપાય ગ્રહણ કરવાથી અહીં એ જાણવું કે શાસ્ત્રમાં કહેલોજ ઉપાય લેવો. પણ બીજાનો આદરેલો ખોટો ન લેવો. કારણ કે સાધુ, વેષધારી જૂઠું બોલનારા કોઈ પતિત પણ હોય છે. એથી શાસ્ત્રનો ઉપાય લેવો, અહીં કહે છે. ૯૩
तेसुवि य धम्मसद्दी धम्मं निययं च ते पसंसति । नणु भणिओ सावज्जो कुतित्थिधम्मो जिणवरेहिं॥४॥
ટીકાનો અર્થ- અન્ય ધર્મીઓના ધર્મમાં 'ધર્મ' શબ્દ રૂઢ હોવાથી તેને તે જેમ તેમ પ્રશંસે છે, ત્યારે તે કેમ ન માનવો? આચાર્ય ઉત્તર આપે છે આ તમારું કહેવું અયોગ્ય છે. અન્યના બતાવેલ અનુષ્ઠાન તે જીવ હિંસાયુકત હોવાથી ચરકાદિ ધર્મ સાવદ્ય છે. તેથી જિનેશ્વરે તેને પ્રશસ્યો નથી. તથા છ જવનિકાયના પરિજ્ઞાન વિગેરેનો પણ તેમને અભાવ હોવાથી પ્રશંસનીય નથી અહીં ગ્રંથ વિસ્તાર ભયથી વિશેષ કહેતા નથી. u૯૪
जो तेसु धम्मसद्दो सो उवयारेण निच्छएण इहं । जह सीहसटु सीहे पाहण्णुवयारओऽण्णत्थ ॥१५॥
ટીકાનો અર્થ- અન્યમાં ધર્મ શબ્દ ઉપચારથી જાણવો. પણ પરમાર્થથી તો જિન શાસનમાં છે. જેમકે સિંહ શબ્દને પ્રધાનપણે સિંહમાં જ છે. પણ ઉપચારથી માણસ વિગેરેમાં પણ છે કોઈ શરીર માણસ બળવાન ને ક્રોધી હોય તો તે સિંહની ઉપમાને પામે, પણ તે ખરો સિંહ નથી. તેથી તેમના ઉપચાર ધર્મ તે ખરો ધર્મ ન ગણતાં અહિંસા વિગેરેથી જૈન ધર્મનેજ ધર્મ લેવો. ૯પા ___एस पइन्नासुद्धी हेउ अहिंसाइएसु पंचसुवि । सब्भावेण जयंती हेउविसुद्धी इमा तत्थ ॥१॥ भा.
અર્થ – આ ઉપર બતાવેલી પ્રતિજ્ઞાની શુદ્ધિ છે અને અહિંસાદિ પાંચમાં પણ હેતુ સદ્ભાવ વડે વર્તે . છે. આ પૂર્વે કહેલું છે. પણ શુદ્ધિ કહેવાની ઈચ્છાથી ભાષ્યકારે ફરી લીધું છે. હેતુની વિશુદ્ધિ તે હેતુ વિશુદ્ધિ. વિષયની વિભાસાનું વ્યવસ્થાપન કરવું તે વિશુદ્ધિ. આ ત્યાં પ્રયોગ છે.
- जं भत्तपाणउवगरण,वसहिसयणासणाइसु जयंति । फासुयअकयअकारियअणणुमयाणुदिट्ठभोई य ॥२॥भा.
જે ભોજન, પાણી, ઉપકરણ, મકાન, સુવા બેસવાનું (આ બધાનો એકઠો સમાસ છે) એ બધાં માટે પ્રયત્ન કરે છે. એટલે કે નિર્દોષ, ન કરેલું, ન કરાવેલું, ન કરતાં અનુમોદેલું, તથા ઉદ્દેશ પણ ન રાખેલો એવી યોગ્ય વસ્તુને લેવાનો જેઓનો આચાર છે તેમાં અસ (એટલે પ્રાણ છે. તે રહિત) એટલે પ્રાસકનો અર્થ જીવ રહિત છે. તે કરેલું પણ હોય કે! નહિ. કરાવેલું હોય તે પણ નહિ. અનુમોદેલું હોય તે પણ નહિ. તેમ એનો ઉદ્દેશ પણ નહિ એટલેકે સાધુના નિમિત્તે જરા પણ હિંસા થવી ન જોઈએ.
એનુ નામ અનુદિષ્ટિ આ પરિજ્ઞાનો ઉપાય બતાવેલો તે સકલ પ્રદાનાદિ લક્ષણોવાળો સૂત્રોથી જાણવો. બીજા આચાર્ય શું કહે છે તે બતાવે છે.
अफासुयकयकारिय अणुमयउद्दिट्टभोइणो हंदि । तस थावरहिंसाए जणा अकुसला उ लिप्पंति ॥३॥भा॥
અર્થ- અપ્રાસુક કૃત કારિત અનુમોદિત, ઉદિષ્ટ વાપરનારા ચરકવિગેરે છે. એમ બતાવે છે કે ત્રાસ પામનારા તે ત્રસ જીવો બેઈદ્રિય વિગેરે, તથા સ્થિર રહેનારા તે સ્થાવર પૃથ્વીકાય વિગેરે તેઓની હિંસા એટલે
slo