________________
૧ : પ્રાસ્તાવિક
ચર્ચાઓ છે. એમાં ઇશાન-શિવ-ગુરુ-દેવપદ્ધતિ’, ‘હરિભકિત વિલાસ'. ‘અભિષિ તાર્થચિ’તામણિ' (માનસેાલ્લાસ’) ‘કૃષ્ણાનંદ તંત્ર—સાર' વગેરે ગ્રંથા પ્રતિમા–વિધાનની અપાર સામગ્રી ધરાવે છે.
૧૧.
બૌદ્ધ ધર્મમાં પ્રતિમાનિર્માણ અંગે કેટલાક સ્વતંત્ર ગ્રંથો રચાયા છે. ચિત્રલક્ષણ' નામના ગ્રંથમાં બૌદ્ધ દેવ-દેવીઓનાં ચિત્રોની શાસ્ત્રીય માહિતી છે. આ ગ્રંથની મૂળપ્રત અપ્રાપ્ય છે. પરંતુ તિબેટી ભાષામાંથી એને જર્મનમાં જે અનુવાદ બહાર પડયો છે તે પરથી તે ઘણી મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. ‘તારાલક્ષણ’ નામના ગ્રંથમાં તારા તથા અન્ય દેવીઓનાં વર્ણન આપ્યાં છે. બુદ્ધની દશતાલમૂર્તિ માટે તિબેટી ભાષામાં દશતાલન્યગ્રોધ પરિમંડલ બુદ્ધ પ્રતિમા—લક્ષણ' નામક ગ્રંથ રચાયા છે. ‘સાધનમાલા'માંથી સેંકડો બૌદ્ધ પ્રતિમાઓનાં વિધાને મળે છે, બિંબમાન અને બુદ્ધપ્રતિમાલક્ષણ પર બૌદ્ધ ધર્મમાં ઘણા ગ્રંથા ઉપલબ્ધ છે.
જૈન ધર્મના પ્રતિમાવિધાન માટે કેટલાક ગ્રથામાં પ્રકરણા અપાયાં છે. જેમાં ‘વાસ્તુસાર’, ‘અપરાજિતપૃચ્છા’, ‘લોકપ્રકાશ’, ‘આચાર દિનકર’, ‘નિર્વાણકલિકા’, ‘પ્રતિષ્ઠાસારોદ્ધાર’, ‘રૂપમંડન’, ‘રૂપાવતાર’, વગેરેમાં જૈન પ્રતિમા વિશે વિપુલ
માહિતી આપી છે.