Book Title: Bharatiya Prachin Shilpkala
Author(s): Pravinchandra C Parikh
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 18
________________ ૧ : પ્રાસ્તાવિક છે. વળી આગમાનો વિશેષતા એ છે કે એમાં શિવની લિંગદ્ભવ મૂર્તિઓનાં વર્ણના સાંગાપાંગ છે. તાલમાનનાં વિવેચને પણ પ્રશસ્ય છે. આટલી ચાકસાઈ પુરાણેમાં જોવામાં આવતી નથી. આથી મૂર્તિકલાના મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોનાં વિવરણા જેવાં આગમામાં જોવામાં આવે છે તેવાં પુરાણામાં નથી. પુરાણા પ્રતિમાઓનાં રૂપવિધાનને પ્રગટ કરે છે, જ્યારે આગમા પ્રતિમાઓના રચના-કૌશલને વિશદ રીતે પ્રગટ કરે છે. દક્ષિણી પ્રસ્તર કલા એમાં પૂરેપૂરી પ્રતિબિંબિત થાય છે. ધ કામિકાગમમાં મૂર્તિ-વિધાનને લગતા જે થોડા અધ્યાયેા (અ. ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૪) છે, એમાં લિંગલક્ષણ, પ્રતિમાલક્ષણ, દેવસ્થાપનવિધિ, પ્રતિમાપ્રતિષ્ઠા અને પરિવારસ્થાપન વગેરે વિધાના મુખ્ય છે. કરણાગમના પહેલા ભાગ(અ. ૯, ૧૧, ૧૨, ૧૪, ૬૨)માં લિંગ અને મૂર્તિ સંબંધી તાલમાન સાથેનાં વર્ણના અને બીજા ભાગ(અ. ૧૩, ૨૧)માં લિંગશુદ્ધિ અને સ્થાપન-વિધિની ચર્ચાઓ આપી છે. વૈખાનસાગમ (પટલ ૨૨)માં પ્રતિમા-લક્ષણને સ્વતંત્ર અધ્યાય છે. એજ રીતે સુપ્રભેદાગમમાં મૂર્તિ વિધાનને લગતા ચાર અધ્યાયેા (૩૩, ૩૪, ૩૬, ૪૦) આપ્યા છે. તત્ર શૈવ-તંત્રોને “આગમ” અને વૈષ્ણવતંત્રોને “પંચરાત્ર” નામે ઓળખવાની પરિપાટી છે, પરંતુ અહીં... એ તંત્રગ્ર ંથા સાથે નિસ્બત છે કે જેમાં શાકત, શૈવ કે વૈષ્ણવ-દેવ-મૂર્તિને લગતી વૈધાનિક ચર્ચાઓ વહીત થયેલ હોય. તાંત્રિક આચાર અને પૂજા-પદ્ધતિ વૈદિક તથા પૌરાણિક આચાર તથા પૂજા-પદ્ધતિથી વિલક્ષણ હોવાના કારણે પણ એ સ્વરૂપે સમજવાનાં હોય છે. લગભગ ૨૫ જેટલા તંત્રશ થેામાં દેવમૂતિઓનાં રૂપવિધાન તથા તેમનાં પ્રતીકાત્મક વિશદ રહસ્યો ચર્ચાયાં છે. આ સર્વમાં ‘હયશીષ પંચરાત્ર’નામના તંત્રગ્રંથ સોર્રાત્તમ છે. ‘મહાનિર્વાણ-તંત્ર’માં પ્રતિમા, લિંગ, ભગ્નમૂર્તિસંધિ, પ્રતિમાદ્રવ્ય વગેરેનાં વર્ણન છે. આગમ-ગ્ર ંથા તંત્રવિદ્યાની એક મહત્ત્વની શાખા છે. એમાં તંત્રોકત પદ્ધતિએ પૂજન તથા અનનાં વિધાને આપેલાં છે. બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલનાં વિધાનામાં જુદા જુદા સંપ્રદાયની મૂર્તિઓનાં વિશેષ વર્ણના મળે છે. શાસ્ત્રીય ગ્રંથે પુરાણ, આગમ અને તંત્રગ્ર ંથા ઉપરાંત કેટલાક શાસ્ત્રીય ગ્રંથેામાં મૂર્તિવિધાનને લગતી ચર્ચાઓ કરી છે. એમાં કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર' ઉખેખનીય છે. એમાં વાસ્તુને લગતી વિપુલ સામગ્રીના ઉલ્લેખ કરતાં દેવકુલ કે દેવતાયતન નગરની મધ્યમાં

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 250