SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : પ્રાસ્તાવિક છે. વળી આગમાનો વિશેષતા એ છે કે એમાં શિવની લિંગદ્ભવ મૂર્તિઓનાં વર્ણના સાંગાપાંગ છે. તાલમાનનાં વિવેચને પણ પ્રશસ્ય છે. આટલી ચાકસાઈ પુરાણેમાં જોવામાં આવતી નથી. આથી મૂર્તિકલાના મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોનાં વિવરણા જેવાં આગમામાં જોવામાં આવે છે તેવાં પુરાણામાં નથી. પુરાણા પ્રતિમાઓનાં રૂપવિધાનને પ્રગટ કરે છે, જ્યારે આગમા પ્રતિમાઓના રચના-કૌશલને વિશદ રીતે પ્રગટ કરે છે. દક્ષિણી પ્રસ્તર કલા એમાં પૂરેપૂરી પ્રતિબિંબિત થાય છે. ધ કામિકાગમમાં મૂર્તિ-વિધાનને લગતા જે થોડા અધ્યાયેા (અ. ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૪) છે, એમાં લિંગલક્ષણ, પ્રતિમાલક્ષણ, દેવસ્થાપનવિધિ, પ્રતિમાપ્રતિષ્ઠા અને પરિવારસ્થાપન વગેરે વિધાના મુખ્ય છે. કરણાગમના પહેલા ભાગ(અ. ૯, ૧૧, ૧૨, ૧૪, ૬૨)માં લિંગ અને મૂર્તિ સંબંધી તાલમાન સાથેનાં વર્ણના અને બીજા ભાગ(અ. ૧૩, ૨૧)માં લિંગશુદ્ધિ અને સ્થાપન-વિધિની ચર્ચાઓ આપી છે. વૈખાનસાગમ (પટલ ૨૨)માં પ્રતિમા-લક્ષણને સ્વતંત્ર અધ્યાય છે. એજ રીતે સુપ્રભેદાગમમાં મૂર્તિ વિધાનને લગતા ચાર અધ્યાયેા (૩૩, ૩૪, ૩૬, ૪૦) આપ્યા છે. તત્ર શૈવ-તંત્રોને “આગમ” અને વૈષ્ણવતંત્રોને “પંચરાત્ર” નામે ઓળખવાની પરિપાટી છે, પરંતુ અહીં... એ તંત્રગ્ર ંથા સાથે નિસ્બત છે કે જેમાં શાકત, શૈવ કે વૈષ્ણવ-દેવ-મૂર્તિને લગતી વૈધાનિક ચર્ચાઓ વહીત થયેલ હોય. તાંત્રિક આચાર અને પૂજા-પદ્ધતિ વૈદિક તથા પૌરાણિક આચાર તથા પૂજા-પદ્ધતિથી વિલક્ષણ હોવાના કારણે પણ એ સ્વરૂપે સમજવાનાં હોય છે. લગભગ ૨૫ જેટલા તંત્રશ થેામાં દેવમૂતિઓનાં રૂપવિધાન તથા તેમનાં પ્રતીકાત્મક વિશદ રહસ્યો ચર્ચાયાં છે. આ સર્વમાં ‘હયશીષ પંચરાત્ર’નામના તંત્રગ્રંથ સોર્રાત્તમ છે. ‘મહાનિર્વાણ-તંત્ર’માં પ્રતિમા, લિંગ, ભગ્નમૂર્તિસંધિ, પ્રતિમાદ્રવ્ય વગેરેનાં વર્ણન છે. આગમ-ગ્ર ંથા તંત્રવિદ્યાની એક મહત્ત્વની શાખા છે. એમાં તંત્રોકત પદ્ધતિએ પૂજન તથા અનનાં વિધાને આપેલાં છે. બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલનાં વિધાનામાં જુદા જુદા સંપ્રદાયની મૂર્તિઓનાં વિશેષ વર્ણના મળે છે. શાસ્ત્રીય ગ્રંથે પુરાણ, આગમ અને તંત્રગ્ર ંથા ઉપરાંત કેટલાક શાસ્ત્રીય ગ્રંથેામાં મૂર્તિવિધાનને લગતી ચર્ચાઓ કરી છે. એમાં કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર' ઉખેખનીય છે. એમાં વાસ્તુને લગતી વિપુલ સામગ્રીના ઉલ્લેખ કરતાં દેવકુલ કે દેવતાયતન નગરની મધ્યમાં
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy