________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
લિંગા દ્ભવ મૂર્તિઓ તથા શિવની પ્રતિમાઓ અર્ધનારીશ્વર, વગેરેનું વર્ણન છે. મહિષાસુરમદિની, ઇન્દ્ર-ઇન્દ્રાણી,, વગેરેની પ્રતિમાઓનાં વર્ણન એમનાં તાલમાન સાથે આપેલાં છે. મત્સ્યપુરાણમાં વાસ્તુવિદ્યાના અઢાર પ્રણેતાઓ-ભૃગુ, અગ્નિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને બૃહસ્પતિ ગણાવ્યા છે.
અગ્નિપુરાણની મૂર્તિવિધાનની ચર્ચા કુલ ૧૬ (અધ્યાય ૪૧-૪૬; ૪૯-૫૫, ૬૦-૬૨) અધ્યાયોમાં વિશદપણે આપી છે. એમાં વાસુદેવ, દશાવતાર, સૂર્ય, ચતુ:ષષ્ટિયાગિની પ્રતિમા, લક્ષ્મી વગેરેને લગતાં વર્ણનો વિગતવાર છે. વળી આ પુરાણમાં પ્રતિમા દ્રવ્યને લગતું પ્રકરણ નિરૂપાયુ છે એ એની બીજી વિશેષતા છે. ૨૪ પ્રકારના શાલિગ્રામેા તથા ૨૦ પ્રકારનાં લિંગાનાં વર્ણન પણ રોચક છે.
વિષ્ણુધર્માત્તરપુરાણના ત્રીજા ખંડના અંતિમ ૪૨ અધ્યાયેામાં મૂર્તિકલા પર વિસ્તૃત શાસ્ત્રીય વર્ણન છે. તેમાં દેવ-દેવીઓ ઉપરાંત દિક્પાલ, નાગ, યક્ષ, ગંધર્વ, નવગ્રહ, સૂર્ય તથા મૂર્તિ રૂપે ઉપાસ્ય નહીં. એવા વેદશાસ્ત્ર,પુરાણ, ઇતિહાસ વગેરેમાં આવતા દેવાની પ્રતિમાઓનાં વર્ણન આપ્યાં છે. એમાં લગભગ ૧૨૮ પ્રકારની પ્રતિમાઓનાં વર્ણન છે. સ્કંદપુરાણના માહેશ્વર ખંડ (અ-૪૫, ૪૭, ૪૮)માં મૂર્તિઓનાં વિધાના તથા શાલિગ્રામનાં લક્ષણેા આપેલાં છે. ગરુડપુરાણ (અ-૪૫)માં શાલિગ્રામના પ્રકારો વિસ્તારથી વર્ણવ્યા છે. ભવિષ્યપુરાણમાં (અ-૧૨, ૧૩૧, ૧૩૨)માં પ્રતિમા-લક્ષણ, પ્રતિમા-દ્રવ્યો અને પ્રતિમા–માન વગેરે વિષયા વર્ણવ્યા છે.
વરાહમિહિરની ‘બૃહત્સંહિતા’ (અધ્યાય ૧૮-૬૦, ૬૯) અર્ધપુરાણ ગણાય છે. એમાં પ્રતિમા-વિધાનને લગતા ચાર અધ્યાયો—પ્રતિમા લક્ષણ, પ્રતિમાનિર્માણ માટેનાં આવશ્યક દ્રવ્યો, પ્રતિમાવિધિ અને પંચમહાપુરુષ લક્ષણ (અ. ૫૮-૬૦ તથા ૬૬) તથા વજ્રલેપનવિધિ (૫૭) વગેરેને લગતાં વર્ણન છે. ખંડિત, સ્ફટિત અને ભગ્ન પ્રતિમાઓનું સંધાન કરવાની વિધિ વજ્રલેપનમાં નિરૂપાઈ છે.
આગમ ગ્રંથામાં પ્રતિમા-વિધાનને લગતી વિપુલ સામગ્રી આપી છે. વળી પુરાણા કરતાં આગમેાની સંખ્યા (અનુક્રમે ૧૮ અને ૨૮) અધિક છે. ઉપપુરાણેાની જેમ ઉપાગમા પણ છે. અને તેમની સાંખ્યા તે। લગભગ બસેાથી પણ વિશેષ છે. આથી આગમમાં વાસ્તુ અને પ્રતિમાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી અને સાંગેાપાંગ વિવેચને જોવામાં આવે છે. કેટલાંક આગમામાં તે વાસ્તુશાસ્ત્રીય રચનાએ એટલી તો અધિક છે કે તે વાસ્તુગ્રથા તરીકે જ ઓળખાય છે; દા.ત., કામિકાગમ, સુપ્રભેદાગમ, વૈખાનસાગમ, કરણાગમ, અંશુમભેદાગમ વગેરે એ દૃષ્ટિએ ગણનાપાત્ર