________________
ભારતીય પ્રાચીન શિલપકલા
ધાતુ શિલ્પો એ ભારતીય શિલ્પોની એક વિશિષ્ટ પ્રણાલિકા છે. હડપ્પીય સભ્યતામાંથી મળેલ ધાતુ-પ્રતિમાના નમૂના પરથી આ પરંપરા એ સમય જેટલી પ્રાચીન જણાય છે. ઐતિહાસિક કાલમાં ઈસુ પૂર્વે ૧ લી સદીથી ધાતુ-શિલ્પો પ્રાપ્ત થાય છે ને આ પરંપરા ઈસુની ૧૮ મી સદી સુધી ભારતમાં વ્યાપક રીતે પ્રચલિત રહી હોય તેમ જણાય છે. ધાતુશિલ્પ મુખ્યત્વે કાંસાનાં અને કવચિત તાંબા, ચાંદી અને સુવર્ણનાં પણ બનતાં હતાં.
ભારતમાં હાથીદાંતમાંથી બનાવેલાં શિલાની પરંપરા ઘણા પાછલા સમયની છે. આ પદાર્થમાંથી બનાવેલા નમૂનાઓ ઈસુની ૪થી સદીથી મળવા લાગે છે. હાથી - દાંતમાંથી બનાવેલાં શિલ્પો ઈસુની ૬ઠ્ઠી સદીથી વિકસિત સ્વરૂપ ધારણ કરતાં જણાય છે. દક્ષિણ ભારતમાં આ પ્રકારનાં શિલ્પોનું બાહુલ્ય નજરે પડે છે.
શંખ અને છીપમાંથી ૫ણ શિલ્પ બનતાં હતાં તે પ્રાપ્ત પુરાવશે પરથી નકકી થાય છે.
૪) શિ૯૫ના વિષ પ્રાચીન ભારતીય શિલ્પકલા નોંધપાત્ર વિષય-વૈવિધ્ય ધરાવે છે. એમાં ધાર્મિક અને ધાર્મિકેતર એમ બે પ્રકારો જોવા મળે છે. ધાર્મિક પ્રકારનાં શિલ્પોમાં બ્રાહ્મણ, બઇ, અને જૈન એ ત્રણેય ધર્મો ઉપરાંત લોકધર્મને લગતા વિષયો સ્થાન પામ્યા છે. એમાં મુખ્યત્વે દેવ-દેવીઓ અને યક્ષ-યક્ષિણીઓનાં શિલ્પો, ઉપરાંત પૌરાણિક કથાનકો અને શિલ્પ-પ્રતીકો દુષ્ટિ ગોચર છે. ધાર્મિકતર શિલ્પોમાં પૂતળાંઓ, રમકડાં, સુશોભનો અને રૂપાંકનો વગેરેનો સમાવેશ થાય છે. આ શિલ્પોમાં પ્રાચીન ભારતીય સમાજજીવનનું પ્રતિબિંબ પડતું હોવાથી ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના આલેખનમાં શિલોનો અભ્યાસ ઘણો અગત્યનો બની રહે તેમ છે.
૫) શિપ-સાહિત્ય શિલ્પ-સાહિત્યમાં અલંકરણાત્મક શિલ્પની અપેક્ષાએ મૂર્તિ શિલ્પ (પ્રતિમાઓ)ને લગતું સાહિત્ય અને ઉલ્લેખો વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
પ્રતિમાને લગતા કેટલાક ઉલ્લેખો વૈદિક સાહિત્યમાં જોવામાં આવે છે. ઋગ્વદમાં ઈ, વરુણ, સૂર્ય, રુદ્ર વગેરે પ્રમુખ દેવોનાં વર્ણને આપેલાં છે, પરંતુ આ કાલની તેમજ અનુવેદકાલની કોઈ મૂર્તિઓ ઉપલબ્ધ ન હોવાના કારણે વૈદિક દેવોના પ્રતિભાવૈધાનિક સ્વરૂપ વિશે નિશ્ચિત વિધાન કરી શકાય તેમ નથી. અલબત્ત, “વિશ્વકર્મા”નો ઉલ્લેખ એમાં થયો છે. વિશ્વકર્મા એ દેવોના શિલ્પી હોવાનું અનુ