Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
માર
સં. ૧૫૨૧ના વૈશાખ સુદિ ૧૦ ને રવિવારે શ્રીશ્રીમાલ શ્રેષ્ઠી સહિજાની ભાર્યા સાહગદેના પુત્ર શ્રેષ્ઠી દેવદાસે, ભાર્યા લલતાદે, તેના ભાઈ બલ વગેરે કુટુંબની સાથે શ્રીસંભવનાથ ભ૦નું બિંબ, (દેવદાસના) નાના ભાઈ મણેરના કલ્યાણ માટે શ્રીપૂર્ણિમાગ૭ના શ્રીગુણધીરસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની વિધિપૂર્વક લાડુલિ (લાલ) ગામમાં પ્રતિષ્ઠા કરી.
સં. ૧૫૫૩ના માહા સુદિ ૬ ના દિવસે પરવાડ વ્યાપારી દેવપાલની ભાર્યા મલાના પુત્ર ડુંગરે, પિતાના ભાઈઓ કાલા અને લાખા વગેરે કુટુંબ સાથે શ્રીસુવિધિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૫રપના ફાગણ સુદિ ૭ના દિવસે પરવાડ શા. ચાંપાની ભાર્યા કડૂના પુત્ર બડૂઆકે, ભાર્યા ઝનૂ વગેરે કુટુંબની સાથે પિતાની માતાના કલ્યાણ માટે શ્રી વિમલનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૮૭).
સં. ૧૫૨૮ના વૈશાખ સુદિ ૩ના દિવસે સવાલજ્ઞાતીય બપણા( બાફણ )ગેત્રના શા. ચાંપાની ભાર્યા ચાંપલદેએ, પિતાના પુત્રો હેમા, સાઢા, અમરા તથા અમરાની ભાય શાણના પુત્ર વગેરે સાથે શ્રી અનંતનાથ ભ૦નું બિંબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org