Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 413
________________ ધનારી (૫૦૪) સં. ૧૭૨૧ના જેઠ સુદ ૩ને રવિવારે મહારાજાધિરાજ શ્રીઅખયરાજજીના વિજયી રાજ્યમાં પેશુઆના રહેવાસી પારવાડની વૃદ્ધશાખાના સમસ્ત સંઘે શ્રીકુંથુનાથ ભગવાનનું બિંમ ભરાવ્યું. અને તેની ભટ્ટારક શ્રીવિજયાણુ ંઃસૂરિજીના પટ્ટાલ`કાર ભ॰ શ્રીવિજયરાજસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ૫૬. ધનારીઃ રા (૫૦૫) સ્વસ્તિ શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર કરીને સ૦ ૧૩૪૮ના અષાડ સુદ ૯ ને મંગળવારે ધનારી ગામમાં શ્રીઋષભદેવના મંદિરમાં પરમારવંશમાં થયેલા રાજશ્રી સાલાના પુત્ર જઇતમાલના વિજયી રાજ્યમાં પારવાડ વ્યવારી શ્રેષ્ઠી પુનદેવના પુત્ર જાલા, તેની ભાર્યા રાહ્યદે, તેના પુત્ર શ્રેષ્ઠી આમદેવ, તેની ભાર્યો લાસદેવી અને ધાર્મિક શ્રેષ્ઠી લુખા, તેની ભાર્યો દમિણિ, તેના પુત્ર શ્રેષ્ઠી લાખણુ, બીજા સલખણુ, વિજયસિ’હ, પદ્મસિંહ, તેમાં લાખણે તેના પુત્ર માહનની સાથે આ પાટ કરાવી. (૫૦૬) સં૦ ૧૩૬૭ના પાષ માસમાં શ્રેષ્ઠી.........ના કલ્યાણુ માટે શ્રીમહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીબ્રહ્માણુગચ્છના શ્રીવીરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૦૭) સ’૦ ૧૪૦૪ના ફાગણુ સુદિમાં છાડવાલ ગાત્રના ખેતા અને ખીમજે આ મૂર્તિ ભરાવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446