Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૪૮
પ્રતિમાલેખાને અનુવાદ
(૫૮૫)
સં. ૧૫૧૫ ના પોરવાડ વ્યવહારી મલા, તેની ભાર્યો માલ્હેણુદે, તેના પુત્ર વ્ય. ચાંપાએ, તેના ભાઇ સુરા, સિંઘા, સહજા, વિજા, તેજા, ટહૂકની સાથે, પોતાના કલ્યાણુ માટે શ્રીનમિનાથ ભગવાનનું મિત્ર ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રોનશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૮૬)
સં. ૧૫૧૬ માં પારવાડજ્ઞાતીય વ્યવહારી વાછા, તેની ભાર્યા સેગૂ, પુત્ર વ્ય. દેલ્હાએ, પેાતાની ભાર્યા સુંદરી, ભાઈ ચાંપા, ભત્રીજા ધર્માદિ કુટુબની સાથે, ભાઈ દેવાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૮૭)
સ૦ ૧૫૧૬ માં પારવાડજ્ઞાતીય વ્યવહારી સાહ્યા, તેની ભાર્યા ચાંપૂ, તેના પુત્ર સહજાએ, પોતાની ભાર્યા દેવલ, તેના પુત્ર સાલિગાદિ કુટુબ સાથે, પોતાના કલ્યાણ માટે શ્રીકુંથુનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છીય શ્રીનશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૮૮)
સ૦ ૧૫૧૮ ના મહા માસની ૨ ને શુક્રવારે વ્યવહારી કાહાકે, પોતાની ભાર્યા કામલદે, તેના પુત્રો નાલ્ડા અને હીદાની સાથે, વીલ્હાના પુણ્યાર્થે શ્રીધર્મનાથ ભગવાનનું ખિમ, કછેાલીવાલ ગચ્છમાં પૂર્ણિમાપક્ષના ભટ્ટારક શ્રીગુણુસાગરસૂરિજીના ઉપદેશથી ભરાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org