Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી શત્રુંજયગિરિ ભગવાન ઋષભદેવના સમવસરવાને લીધે પરમ પવિત્ર મહાતીર્થ તરીકેનું ગૌરવ મેળવીને છેક પ્રાચીન સમયથી જૈન સંઘની ઊંડી શ્રદ્ધા અને ભક્તિનું સ્થાન તેમજ આ તીર્થાધિરાજ તરફની શ્રી સંઘની પણ શ્રદ્ધાભક્તિનું સ્થાન બની ગયેલ છે. અને આ તીર્થાધિરાજ તરફની શ્રી સંઘની શ્રદ્ધાભક્તિમાં ઉત્તરોઉત્તર કેટલો બધો વધારો થતો રહ્યો છે એ વાતની સાક્ષી આ ગિરિરાજ ઉપર નાનામોટા સેંકડો (૯૮૦) જિનમંદિરો અને એમાં પ્રતિષ્ઠિત થયેલ હજારો (૧૦૬૫૭) જિનબિંબો પણ આપે છે. આજેય આ મહિમાવંતુ તીર્થ સકલ જગતમાં આત્મિક બળના વિજયની પતાકા લહેરાવી રહ્યું છે. આ તીર્થનો મહિમા વર્ણવવાનો હેતુ એ છે કે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા એક વિશિષ્ટ યાત્રા છે. કુંડલિની યોગમાં નવ ચક્રના ભેદનની વાત આવે છે અને અંતે આજ્ઞા ચક્ર જાગે છે. શ્રી શત્રુંજય મહાતીર્થની નવ ટૂંકો એ નવ ચક્ર સમાન છે અને અંતે શ્રી આદિનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય છે. આ દર્શનનો આનંદ કેવો હોય તે તમને આ ગ્રંથમાં જોવા મળશે. - પ્રવીણાબહેનને ક્યારેક આદિશ્વર દાદા મરક મરક હસતાં લાગે છે, તો ક્યારેક એમને આદિશ્વર દાદા સાક્ષાત સન્મુખ હોય તેવો અનુભવ થાય છે. એમની આ યાત્રામાં તીર્થ બોલે છે અને એમનું હૃદય અનુભવે છે. જયતળેટી એમને મૂક આશીર્વાદ આપતી હોય તેવું લાગે છે. આ ૯૯ની યાત્રાની પાછળ જૈનધર્મનો પ્રાચીન ઇતિહાસ, એની વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ અને આત્મોન્નતિના એક પછી એક પગથિયાં પાર કરવાનો આશય રહેલો છે અને એ આશય પ્રવીણાબહેનની આ યાત્રામાં સર્વાશે સિદ્ધ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 138