________________
૪૨
ધીરે ધીરે ક્રમમાં ગોઠવાઈ ગયું. ધીરે ધીરે અમે પણ આ વિધિથી માહિતગાર થવા લાગ્યા.
પૂનમ પછી ચંદ્ર મોડો ઉગીને મોડો આથમતો હોવાથી પૂનમથી વદ ૯-૧૦ સુધી વહેલી સવારે અજવાળું રહેતું. વદ૧૦-૧૧ પછી સવારે અંધારું રહેતું. જય તળેટીથી યાત્રા શરુ થાય ત્યારે અંધારું લાગતું. ધીરે ધીરે આ રીતે યાત્રા ગોઠવાતી ગઈ અને અમને પકડ આવતી ગઈ. સવારના પહોરમાં એવો ભાસ થાય કે દાદા બધાને ભેટવા સામે આવી રહ્યા હોય. અંધારામાં લોકોનો ચાલવાનો અવાજ, ડોળીવાળાના શબ્દો “એ બાજુ રહેજો,”દરેકના હાથમાં રહેલી લાકડીનો ટપ-ટપ અવાજ, આ બધું સાંભળતાં સાંભળતાં અને તેમાં અનેરો આનંદનો અનુભવ કરતાં કરતાં રામપોળ આવી જતી હતી.
જ્યારે રામપોળમાં પ્રવેશ કરીએ ત્યારે આકાશ અદ્ભુત રંગોથી રંગાયેલું નજરે પડતું હતું. કુદરતી વાતાવરણની સાથે દાદા સાથેનું મિલન કંઈ અદ્ભુત લાગતું. દાદા હંમેશની જેમ હસતા નજરે પડતા. ઘેટીની પાગથી ઉપર દાદાના દરબારે આવતાં સવારે લગભગ નવ વાગતા હતા.
નવ્વાણું કરનાર માટે કપડા મૂકવાના લોકર અલગ જગ્યાએ હોય છે. બધા જ લોકર ભરાઈ જતાં હોય છે. બહેનો માટે એક મોટી રૂમમાં એક બેન બધાનાં થેલા સાચવતા હોય છે. ન્હાવાનું ગરમ પાણી આપનાર એક બીજા બહેન હોય છે. અહીં ન્હાવાના બાથરૂમ ઓછા હોય છે. પણ વ્યવસ્થા ઘણી સારી હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org