________________
૯૧
આ બધો જાદુ કોણે કર્યો ? દાદા એ તો દાદા જ છે. આ બધું દાદાએ જ અમને કરાવ્યું છે. દાદા તારા લાખ લાખ ઉપકાર.
સવારે દર્શન કરી પાવન થઈએ. પછી જેવો દાદાનો પ્રક્ષાલ કરીએ, દાદાને સ્પર્શ કરીએ, દાદાનું નમણ આંખે, ગળે, મસ્તકે લગાવીએ અને અમારા શરીરમાં વિજળી પેદા થાય અને અમે એકદમ તાજગી અનુભવીએ, પછી પ્રક્ષાલ માટે રાયણ પગલે દોડીએ. ત્યાંથી નવા આદેશ્વર, નેમીનાથ, પુંડરીકસ્વામી, સીમંધરસ્વામી અને ત્યાંથી શાંતિનાથનો પ્રક્ષાલ કરવા દોટ મૂકીએ. આ બધી શક્તિ કયાંથી આવે છે? કયું પરિબળ કામ કરે છે? બસ ! એક જ જવાબ દાદા !
દાદા એ તો દાદા જ છે. જય જય શ્રી આદિનાથ. ૐ હી શ્રી આદિનાથાય નમઃા સાચા દેવની જય. બસ તું જ તું, એક જ તું, જ્યાં જોઉં ત્યાં તું. મારા રોમે રોમમાં તું. મારા શ્વાસે શ્વાસમાં તું. મારા આંખના પલકારે પલકારે તું. મારી ધડકનમાં તું. મારા અણુએ અણુમાં તું.
મારા સાડા ત્રણ કરોડ રોમમાં તું. હે દાદા, હે દેવાધિદેવ, હે આદિનાથ તું મને પાવન કરી રહ્યો છે અને હું પાવન થઈ રહી છું. બસ મને તારું જ સાનિધ્ય મળજો. બસ હું તારામાં ખોવાઈ જાઉં. કોઈ બુદ્ધિનો ઉપયોગ ન કરું. કોઇ જ તર્ક ન કરું.
જ્યાં નજર કરું ત્યાં મને તું જ દેખાય. બસ મને બીજું કંઈ જ નથી જોઈતું. તારી ભક્તિના રસમાં તરબોળ થવું છે.
દાદા મને તારામાં સમાવી દે. બસ, એટલું આપજે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org