Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 123
________________ ૧૧૪ પ્રભુ વચને અણસણ કરી મુક્તિપુરીમાં વાસ, નામે કદંબગિરિ નમો, તો હોય લીલવિલાસ. (સિ.૧૯) પાતાલે જસ મૂળ છે. ઉજજવલગિરિનું સાર, ત્રિકરણ યોગે વંદતા, અલ્પ હોય સંસાર. (સિ.-૨૦) તન મન ધન સુત વલભા, સ્વર્ગાદિક સુખભોગ, જે વંછે તે સંપજે, શિવરમણી સંયોગ, વિમલાચલ પરમેષ્ઠિનું ધ્યાન ધરે પટમાસ, તેજ અપૂરવ વિસ્તરે પૂગે (પૂરે) સઘળી આશ, ત્રીજે ભવ સિધ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ, ઉત્કૃષ્ટ પરિમાણથી, અંતર્મુહૂર્ત સાચ, સર્વ કામદાયક નમો, નામ કરી ઓળખાણ, શ્રી શુભવીર વિજય પ્રભુ, નમતાં કરોડ કલ્યાણ. (સિ.-૨૧) -------- શેત્રુંજા ગઢના વાસી રે શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે, સેવકની સુણી વાતો રે, દિલમાં ધારજો રે, પ્રભુ મેંદીઠો તુમ દેરાર, આજ મુને ઉપન્યો હર્ષ અપાર, સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંજશે રે. દાદાજીની સેવારે શિવસુખ આપશે રે ... (૧) એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે, દૂર નિવારજો રે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138