________________
૧૨૧
એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર, પદ્મ કહે મુક્તે ગયા, નમતાં સુખ નિરધાર.....(૩)
અંતરજામી સુણ અલવેસર
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો, સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો, આપો આપોને મહારાજ, અમને મોક્ષ સુખ આપો......(૧) સહુકોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચુરો રે એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરે ? સેવક અરજ કરે છે રાજ......(૨)
સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો રે કરુણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો.
સેવક અરજ કરે છે રાજ.....(૩)
લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે રે ધૂમાડે ધીજું નહીં સાહિબ, પેટ પડ્યાં પતિજે. સેવક અરજ કરે છે રાજ......(૪)
શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો રે, કહે જિનહર્ષ મયા કરી મુજને ભવસાગરથી તારો. સેવક અરજ કરે છે રાજ......(૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org