Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 128
________________ ૧૧૯ આજ મ્હારાં નયણાં સફળ થયા આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નીરખી, ગિરિને વધાવું મોતીડે, હૈયામાં હરખી...આજ....(૧) ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાં એ તીરથ જોડી, વિમલાચલ ગિરનારને, વંદુ બે કર જોડી...આજ.....(૨) સાધુ અનંતા ઈણ ગિરિ, સિદ્ધા અણસણ લેઈ, રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કોઈઈ...આજ...(૩) માનવભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે, પાપકર્મ જે આકરાં, કહો કેણી પરે માટે....આજ....(૪) તીરથરાજ સમરું સદા, સારે વાંછિત કાજ, દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલ રાજ..આજ......(૨) સુખ અભિલાષી પ્રાણિયા, વિંછે અવિચલ સુખડાં, માણેકમુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડાં..આજ.....(૬) પાલીતાણા મન ભાવ્યું પ્રભુજી (નવટૂંકમાં બોલી શકાય) પાલીતાણા મન ભાવ્યું પ્રભુજી, નામ મીઠું મને લાગ્યું, ત્યાં તો બિરાજે છે ઋષભ જિનેશ્વર, નાભિના જાયા. પાલીતાણા....(૧) પહેલી ટૂંક જઈ પાવન થાશું, બીજી ટૂંકે જઇ કર્મ ખપાવીશું ત્રીજે તે પાપ પલાયન પ્રભુજી, નામ મીઠું મને લાગ્યું. પાલીતાણા....(૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138