________________
(૧૮) નવ્વાણું પ્રકારની પૂજા એક વાર ભણાવવી તથા પ્રભુજીની
આંગી રચાવવી. (૧૯) યથાશક્તિ રથયાત્રાનો વરઘોડો કાઢવો. (૨૦) એકવાર ૧૦૮ ખમાસમણાં અને ૧૦૮ લોગસ્સનો
કાઉસ્સગ્ન કરવો.. (૨૧) એકવાર ગિરિપૂજન કરવું. જૂની તળેટી, શ્રી કલ્યાણ
વિમલ દેરી, શ્રી મેઘમૂનિ સ્તુપ, શ્રી ગોડી પાર્શ્વનાથ દેરી ત્યાર પછી જય તળેટીથી માંડી રામપોળ સુધી જે
જે પગલાં કે પ્રતિમાજીઓ છે તેની પૂજા કરવી. (૨૨) દરરોજ સિદ્ધાચલના નવ દુહા બોલીને નવ ખમાસમણા
દેવાં.
પ્રથમ ચૈત્યવંદન જય તળેટીએ કરવાનું પ્રથમ ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઊતારે...૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય, પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય..૨ સુરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ નાભિરાયા કુલ મંડણો, જિનવર કરું પ્રણામ...૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org