________________
૭૯
પ્રાર્થના કરી. બસ પ્રભુ ભવોભવ અમને તારું જ સાન્નિધ્ય મળજો. એવી અંતરની પ્રાર્થના કરી. જય જય શ્રી આદિનાથ !
યાત્રા દિવસ - ૪૯-૫૪
આજે મારે ૮૯ જાત્રા થઈ છે. ચન્દ્રકાન્તને ૮૪ જાત્રા થઈ છે. દાદાને ભેટવા અવારનવાર સંઘો આવે છે.
“સંઘ ઘણેરા આવે કે એ ગિરિ ભેટવા રે લોલ” જ્યારે સંઘ આવે ત્યારે દાદાના દરબારમાં અને રંગમંડપમાં બહુ ગિરદી હોય છે.
આજે પોષ સુદ-૫ એકાવનમો દિવસ છે. અમે આજે આયંબીલ કર્યું છે. અહીં શાંતાબાની આયંબીલ- શાળામાં જઈ અમે આયંબીલ કર્યું.
અમદાવાદથી છ'રી પાળતો સંઘ આવતો હતો. સંઘે પાલીતાણા ગામથી દૂર ખેતરોમાં તંબૂ બાંધીને પડાવ કરેલ. અમે સંઘના દર્શન કરવા ગયાં હતાં. સંઘ પચીસમો તીર્થકર કહેવાય છે. સંઘના દર્શન કરતા અમે ધન્યતાનો અનુભવ કર્યો.
આજે બાવનમો દિવસ છે. આજે મારે ૯૬ જાત્રા થઈ છે. આજે સવારે દાદાની આંગીની સાથે દીવડા વધુ મુકેલા. ગભારામાં બે દીવા અખંડ હોય છે. આજે દાદાના દરબારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org