________________
૭૮
તેમના બાળકો સુનય અને સાવન પણ અહીં જાત્રા કરવા આવ્યા હતા.
આજે ૪૭મો દિવસ. જયતળેટીએ મહાપૂજન હતું. જય તળેટી સુંદર શણગારવામાં આવી હતી. બાબુના દેરાસરથી ઉપર દરેક વિશ્રામસ્થાને ગેટ મૂકવામાં આવ્યા હતા. ત્યાં ઢોલ શરણાઈ વાગતી હતી. દાદાના રંગમંડપમાં આજે માળ હતી તેથી ઉપર પણ ઘણી ભીડ હતી.
અમે શણગારેલી તળેટી જોવા રાત્રે ગયાં હતાં. તળેટીએ દર્શન કર્યા. આજે તળેટી ફૂલોથી બહુ જ શોભતી હતી. પાણીના ફુવારા, હાથી, બતક વિ. ડોલતાં હતાં. ચોખાની ગહુલીઓ ઠેર ઠેર બનાવી હતી. ગ્લાસમાં દીવડા ટમટમતાં હતાં. સ્ટેજ પર ભગવાનની પ્રતિમાજી બિરાજમાન હતી. મોટી હાલતી–ડોલતી પુતળીઓ ગોઠવેલી હતી. આજે આખું જ દશ્ય જાણે સ્વર્ગલોક જેવું હતું.
આજે ૪૮મો દિવસ. તળેટીની નજીક આવેલ નંદપ્રભા દેરાસરમાં સિદ્ધચક્ર પૂજન હતું. અમે બધા દાદાની જાત્રા કરી નીચે આવ્યા બાદ પૂજનમાં ગયાં હતાં. પછી અમે બધા ધર્મશાળામાં જઈને એકાસણું કરવા ગયાં.
બે હજાર છ નું વર્ષ સર્વ રીતે લાભદાયી નીવડે. ખાસ કરીને અમે ધર્મમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીએ તેવી પરમેશ્વર પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org