________________
૮૪
કરવું છે. મારે વિદ્યાગુરુ, વડિલો પાસેથી અંતરના આશીર્વાદ લેવા છે.
જે મને નથી ગમતું તે મારે બીજાને નથી આપવું, હે દાદા! મારે પાવન થવું છે. મને તમારા પ્રત્યે એટલો બધો રાગ થઈ ગયો છે કે સવારે જ્યાં તમારા દર્શન થાય છે કે મુખમાંથી શબ્દો સરી પડે છે.
જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે.
આ ભક્તિ ગીતથી હું ભીંજાઈ જાઉં છું. આ ગીતની પંક્તિઓ મારા રોમે રોમમાં પ્રસરી ગઈ છે.
આજે સાંજે સમૂહ પ્રતિક્રમણમાં પ્રતાપભાઈ નામના એક ભાઇએ સરસ સ્તવન ગાયેલું- “અબ હમ અમર ભયે ન મરેંગે' અનુભવની તાળી જ્યારે લાગે છે ત્યારે શાનમાં સમજાઈ જાય છે. આજે મને અકથ્ય અનુભવ થયો હતો.
--------
યાત્રા દિવસ - પ૬-૫૭
આજે ૧૦૪ જાત્રા પૂર્ણ થઈ છે. આજે એક સરસ લાભ મળ્યો. રાજુભાઈ અલબેલાએ આછા ગુલાબી ગુલાબનો હાર દાદાના મુગટે ચઢાવવા આપ્યો. સાથે થોડાં સફેદ ઝીણાં ફુલ પણ આપ્યાં. અમે પૂજાની લાઇનમાં હતાં. પછી અંદર ગભારામાં મેં ગોઠીને કહ્યું કે રાજુભાઈએ આ હાર દાદાના મુગટ ઉપર ચઢાવવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org