________________
-
૪૧
યાત્રા દિવસ ૭-૧૩
- અમારો નિત્યક્રમ - વહેલી સવારે જયતળેટીએ વાસક્ષેપ પૂજા, ચૈત્યવંદન કરી ગિરિરાજની જય બોલાવીએ, દાદાની જય બોલાવીએ અને ચઢાણ શરુ કરીએ. બાબુના દેરાસરે - પંડરીકસ્વામી - ભીડભંજન પાર્શ્વનાથના આશીર્વાદ લઈ સમવસરણના બહારથી દર્શન કરી યાત્રા શરુ કરીએ. ઉત્સાહમાં રસ્તો ઝડપભેર કપાતો.
ગિરિરાજ ઊપર પહોંચીને શાંતિનાથના દેરાસરે દર્શન - ચૈત્યવંદન કરી, ચકેશ્વરીદેવી અને કવડક્ષના આશીર્વાદ લઈને દાદાના દરબારમાં પહોંચીએ. દાદાના દર્શન-વંદન કરી ધૂપ દીપ કરી ચૈત્યવંદન કરીએ. નવ લોગસ્સનો કાઉસ્સગ્ન કરી નવા ખમાસમણા દુહા સાથે કરીએ. દાદાની ત્રણ ભમતી - ચૈત્યવંદન કરી પૅડરીકસ્વામીએ ચૈત્યવંદન કરી. ઘેટીની પાર્ગ દર્શન- ત્રણ ભમતી અને ચૈત્યવંદન કરીએ.
દાદાના દરબારે આવી દાદાનો પ્રક્ષાલ કરીએ પછી રાયણપગલે - નવા આદેશ્વર - નેમીનાથ - પેંડરીકસ્વામી સીમંધરસ્વામી - શાંતિનાથ વિગેરે જ્યાં જ્યાં પ્રક્ષાલ થતો હોય ત્યાં ત્યાં પ્રક્ષાલ કરી અને જ્યાં પૂજા થયેલી હોય ત્યાં પૂજાનો લાભ લઈએ. જ્યાં ચૈત્યવંદન બાકી હોય ત્યાં ચૈત્યવંદન કરી પૂજાના કપડા બદલી પછી નીચે ઊતરવાનું શરુ કરીએ.
દર્શન-વંદન-પ્રક્ષાલ-પૂજા-ચૈત્યવંદન-પ્રદક્ષિણા બધું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org