________________
યાત્રા દિવસ
આજે અમારા માટે સોનાનો દિવસ ઊગ્યો. નિત્યક્રમ પ્રમાણે રોજના સમયે ગિરિરાજ પર જવા નીકળ્યાં. આજનું વાતાવરણ કંઇક જુદું હતું. આજે અમને કોઇ સારો લાભ થવાનો હતો તેનો સંકેત આવી રહ્યો હતો. રામપોળ પહોંચ્યા ત્યારે સવારની ૬:૨૦ થઇ હતી. રામપોળના દ્વાર બંધ હતાં. સાધુસાધ્વી શ્રાવક-શ્રાવિકાઓ દ્વાર ખૂલે તેની ઈંતેજારીમાં હતાં. અમે પણ બધાં સાથે જોડાઇ ગયાં. દેવ નગરીમાં આવી પહોંચ્યા હોઇએ તેવું દૃશ્ય અદ્ભુત લાગતું હતું. એક ભાઇ ધૂન બોલાવતાં હતા અને સૌ મોટે મોટેથી આદિનાથ કહી આકાશ ગજાવતા હતાં. ધૂનના શબ્દો આ પ્રમાણે હતા
-
૬૨
30
Jain Education International
જય જય શ્રી આદિનાથ, સિદ્ધાચલમાં આદિનાથ. વિમલાચલમાં આદિનાથ, હસ્તગિરિમાં આદિનાથ. મોતીશા ટૂંકમાં આદિનાથ, ઘેટી પગલે આદિનાથ. નવ્વાણું કરાવે આદિનાથ, સૌ કોઇ બોલે આદિનાથ. ભાઇઓ બોલે આદિનાથ, બહેનો બોલે આદિનાથ. વૃદ્ધો બોલે આદિનાથ, બાળકો બોલે આદિનાથ. કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ. ઉપર નીચે આદિનાથ, બધી દિશામાં આદિનાથ. પ્રથમ તીર્થંકર આદિનાથ, મરુદેવા નંદન આદિનાથ. જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ.
આમ સૌ ભાવિવભોર હતાં. દાદાના મિલનની ઘડીની
For Personal & Private Use Only
www.jainelibrary.org