________________
સગાળપોળ પાસે મોટો તંબુ બાંધેલો હતો. જેથી તપસ્વીઓની વૈયાવચ્ચ કરી શકાય.
ઘેટીની પાગે જતાં ઠેર ઠેર નાના-નાના તંબુઓ બાંધેલા હતા. તે તંબુમાં જાજમ બિછાવેલી હતી. એક પાણીનું મોટું પ્રમ હતું. ખુરશીઓ હતી. સ્વયંસેવકો હતા. છઠ્ઠવાળા તંબુમાં આરામ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા હતી. રસ્તામાં ઠેર ઠેર તપસ્વીઓ ઉપર ગુલાબ જળ છંટાતું હતું. સ્વયંસેવકો તપસ્વીઓને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં.
ઘેટીની પાગે સ્વયંસેવકો તપસ્વીઓને સમૂહમાં ચૈત્યવંદન કરાવી રહ્યા હતા. ઉપર રંગમંડપમાં, રાયણપગલે, પુંડરીકસ્વામીએ અને શાંતિનાથ આગળ પણ સ્વયંસેવકો તપસ્વીઓને ચૈત્યવંદન કરાવતાં હતા. આ જલસો જોઈ તપસ્વીઓ અને સ્વયંસેવકોની અનુમોદના થઈ જતી હતી. વાતાવરણ ખૂબ જ આલાદક અને અનુમોદનીય હતું. તપસ્વીઓના ઉત્સાહમાં વધારો કરે તેમ ઠેર ઠેર વાતાવરણ દેખાતું હતું.
આ બધા વચ્ચે રંગમંડપમાં પૂજા વિ.નું ઘી જ્યારે બોલાતું હોય, પ્રક્ષાલની લાઈનો હોય, લોકો હાથમાં પૂજાની થાળી લઈ
જ્યારે ઉભેલા દેખાતા હોય અને પ્રદક્ષિણા કરનારા તપસ્વીઓ ચારે બાજુ જ્યારે નજરે પડતા હોય ત્યારે કોઇ જુદી જ દુનિયામાં આપણે હોઈએ તેવું લાગતું. આવા વાતાવરણમાં અમને દુનિયાની કોઈ ચીજ યાદ આવતી ન હતી. ફક્ત દાદાના પ્રક્ષાલ-પૂજામાં જ મન રમ્યા કરતું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org