________________
૬૮
છ ગાઉની યાત્રા : યાત્રા દિવસ-૩૪
આજે અમે દાદાની જાત્રા કરી સવારે આઠ વાગે રામપોળથી છ ગાઉની જાત્રા કરવા નીકળી પડ્યાં હતાં. અમારી સાથે ચાર ધર્મશાળાના યાત્રિઓ હતાં. રામપોળની બહાર નીકળી સૌ પ્રથમ જમણી બાજુના રસ્તેથી જવાનું હતું. થોડું ચાલ્યા અને થોડા પગથીયાં ઊતર્યા.
(૧) સૌ પ્રથમ દેવકીના છ પુત્રોની દેરી આવે છે. તેઓ અહીંથી સિદ્ધગતિએ ગયેલા. તેઓને નમો સિદ્ધાણં કહી અમે આગળ ચાલવા માંડ્યાં. ત્યાં આગળ આગળ થોડું ચાલવાનું અને થોડાં પગથીયાં આવે છે. આ રસ્તો નીચે તરફ જાય છે.
(૨) ઉલ્કાજલ આવે છે. અહીં એક નાની દેરી છે. તેમાં આદિનાથ ભગવાનનાં પગલાં છે. અમે ત્યાં સાથિઓ કરી ચૈત્યવંદન કર્યું. ત્યાં એક નાનું ઝરણું છે. કહેવાય છે કે દાદાનું ન્હવણ જળ જમીનમાં થઇ અહીં આવતું હતું.
(૩) અજિતનાથ અને શાંતિનાથની બે દેરીઓ આવે છે. કહે છે કે પહેલાં આ બે દેરીઓ સામ સામે હતી. પછી નંદીષેણમુનિએ અજીત-શાંતિની રચના કરી તેના પ્રભાવથી આ દેરીઓ બાજુબાજુમાં આવી ગઇ. અમે બધાંએ સમૂહમાં ત્યાં ચૈત્યવંદન કર્યું. ત્યાં બાજુમાં જ એક તળાવ છે.
(૪) ચંદન તળાવડી છે. જેને ચિલ્લણ તળાવડી પણ કહેવાય છે. આવી દંતકથા છે કે ચિલ્લણમુનિ સાથે સંઘના માણસો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org