________________
૭૩ મહાપૂજા હતી. ઠેર ઠેર ગહુલીઓ અને રંગોળીઓ પૂરવામાં આવી હતી. મુક્તિ શિવરમણીને જોવાની મઝા આવી હતી. આખી તળેટી અને રસ્તો શણગારવામાં આવ્યો હતો.
બીજે દિવસે દાદાની જાત્રા કરી અમે ઘેટી પાર્ગ દર્શન કર્યા પછી નવટૂંકમાં ગયાં. નવટૂંકમાં સવા-સોમા (ચૌમુખજી)ની ટૂંકમાં આજે અઢાર અભિષેક હતા. ચૌમુખજીના દેરાસરનો રંગમંડપ સાધુ-સાધ્વીઓથી ભરેલો હતો. જેનું મુખ્ય ઘી હતું તેઓ રંગમંડપમાં દાદા સમક્ષ હતા. આજે ચૌમુખજીના ચારે દ્વાર ખુલ્લા હતા. દરેક દ્વારે ભાઈ-બહેનો કળશ લઈને ઊભા હતા. આખી ભમતીની દેરીઓમાં શ્રાવક-શ્રાવિકાઓ હાથમાં કળશ લઈને ઊભા હતા.
ચૌમુખજી તથા બધી દેરીઓ શણગારવામાં આવી હતી. રંગમંડપમાં શ્લોકો બોલાતા હતા. ઢોલ-નગારા તથા શરણાઈવાળાઓ ધૂન મચાવતા હતા. જેવા શ્લોક બોલાય અને ડંકા વાગે ત્યારે બહાર ઢોલ-નગારાવાળા બધે ભમતીમાં ઢોલ વગાડતા-વગાડતા ફરે અને બધે જ સાથે અભિષેક થાય. ચારેબાજુ ધુપ ઉવેખાતો હતો. ધુપની સુગંધ ચોમેર પ્રસરી રહી હતી. વાતાવરણ ખૂબ સુંદર હતું અને ખરેખર માણવા જેવું હતું.
આ માહોલની વચ્ચે પગથીયાં ઉપર બેસી અમે ચૈત્યવંદન કર્યું. ભમતીમાં જ્યાં જ્યાં કળશ થતાં હતાં ત્યાંથી બધે જ અમે નમણ જળ લીધું અને આંખે લગાવ્યું. ખૂબ આનંદ આવ્યો. ત્યાંથી અમે અંગારશા પીરની દરગાહ જોવા ગયાં. જ્યારે જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org