________________
-
૭૧
થયા છે. વડલાની વચ્ચે એક મોટી દેરી છે. તેમાં આદિનાથ દાદાના પગલાં છે. રંગમંડપ પ્રમાણમાં મોટો છે અને ચારે બાજુથી ખુલ્લો છે. ત્યાં અમે બધાંએ સાથિઆ કરી સમૂહમાં ચૈત્યવંદન કર્યું. ભાડવાના ડુંગર ઉપરથી આ સિદ્ધવડ દેખાય છે. અહીં છ ગાઉની યાત્રા પૂર્ણ થાય છે.
આજે દાદા મારી પર વરસી ગયા હતા. મારા પગમાં કોણ જાણે દાદાએ ગજબની શક્તિ આપી હતી. દાદાના પ્રતાપે આજે છ ગાઉની જાત્રા સંપૂર્ણ ચઢીને કરી. ખૂબ આનંદ થયો. દાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો. - અહીંથી અમે બધાં ચાલીને આદપર ગામમાં ગયાં. અહીં એક મોટું દેરાસર છે. આ દેરાસરમાં ૯૯ ઈચના આદિનાથ ભગવાન છે. પ્રતિમાજી ખૂબ જ સુંદર છે. દર્શન કરી આંખને તૃપ્તિ થઈ. આ પ્રતિમાજી કેવી રીતે ઘડાઈ તેનો પણ એક અભુત ઈતિહાસ છે. અમે જ્યારે ભાંડવાનો ડુંગર ઊતરતાં હતાં ત્યારે અમારી સાથે મહારાજ સાહેબ હતા, તેમણે નીચે મુજબ ઇતિહાસની વાત કહેલી.
મહારાજ સાહેબે કહ્યું કે અહીં એક મોટો આરસનો પથ્થર કેનમાં લાવવામાં આવ્યો. પથ્થરનું વજન બહુ હતું પણ જેવો ઉચકવામાં આવ્યો કે હળવો ફૂલ થઈ ગયો. ત્યાં એક કુશળ શીલ્પી હતો, તેને બોલાવવામાં આવ્યો. તેને લકવો થયેલો હતો જેથી તેણે કહ્યું કે હું એક ટાંકણું મારીશ પછી બીજા કામ કરશે. જ્યાં તેણે પહેલું ટાંકણું માર્યું કે તેનો લકવો દૂર થઈ ગયો. તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org