________________
૫૬
બધાં એક બીજાંને ઉત્સાહ આપતાં મુંબઇ - અમદાવાદ અને અમેરિકાથી અવારનવાર ફોન આવતા. સગાં-સ્નેહી સંબંધીઓ પાલીતાણા આવ્યા હોય તો અમને મળવા અવશ્ય આવતાં. બધાંને મળી આનંદ થતો.
અમારી આરાધના દાદાના પ્રતાપે સારી ચાલતી રહી. અમારી કોઇ શક્તિ કે ગજુ ન હતું પણ આ બધો જ દાદાનો પ્રભાવ હતો કે અમે નિર્વિઘ્ને દરરોજ સુંદર જાત્રા કરતા. દાદા કહે છે કે તું ભાવ બતાવ, હું તને પ્રભાવ બતાવું. દાદા કશું કહેતા નથી પણ આપણી અપેક્ષાએ આપણને જાણે દાદા ઘણું કહી રહ્યા હોય તેમ ઘડીએ ઘડીએ અમને ભાસ થતો, દાદા તારી અસીમ કૃપા છે. તારા શરણે આવેલાને તું અવશ્ય શરણું આપે છે. જય જય શ્રી આદિનાથ.
યાત્રા દિવસ
૨૪-૨૫
જય તળેટીએ દર્શન કરી જ્યારે ગિરિરાજ ચઢીએ છીએ ત્યારે ભાવનાની ભરતીથી તરબોળ થઇ જઇએ છીએ. સવારે હીંગલાજ માતાનો હડો પસાર કરીએ પછી ઉપરની તાજી નરવી હવાનો સ્પર્શ થાય છે. તે હવા જાણે અમને ભેટવા આવતી હોય તેવો અનુભવ થાય છે.
અહીંથી તળેટી તરફ નજર કરીએ તો નીચે દૂર દૂર ધર્મશાળાઓ, પાલીતાણા શહેર અને મંદિરોની ભવ્ય રોશની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org